Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સૂત્રમાં એવું જોવામાં આવે છે. ૨૦. આ જ પ્રમાણે આગમો કે જેમાં એક જ વિષય છતાં તેની સાથે અનેક વિષયો સંબંધ ધરાવે
છે. પણ જગતુના તમામ છૂટાં છૂટાં વિજ્ઞાન અને વિશ્વનું સળંગ તત્ત્વજ્ઞાન જેમાં ગૂંથવામાં આવ્યું છે, તે દષ્ટિથી આવા સામાયિક રૂપ મૂળ વિષયનાં જેટલાં સૂત્રો થઈ શકે, તેની બાર અંગોમાં - મુખ્ય ગ્રંથોમાં વહેંચણી કરી છે. બાર અંગ શબ્દ જ કહે છે કે, એક જ વસ્તુના = અંગીનાં બાર અંગ હોઈ શકે. એ ઉપરથી આપણે સમજી શકીએ તેમ છીએ કે, દ્વાદશાંગી એ મુખ્યપણે-સામાયિક સૂત્રનું વ્યાખ્યાન કરવાના એક જ ગ્રંથના બાર ભાગ છે. તેમાં આખા જગતનાં અનેક વિજ્ઞાન અને સમગ્ર તત્ત્વજ્ઞાન હોવાથી એટલા બધા બીજા પણ મુખ્ય અને પેટા પ્રકરણો છે, કે જેની સંખ્યા ગણવી મુશ્કેલ થઈ પડે તેમ છે. એટલો બહોળો વિષય તેમાં સમાયેલ છે, માટે જ તે જગતમાં અજોડ સાહિત્ય છે. આજે સાયન્સ-વિજ્ઞાનના જુદા જુદા મોટા ગ્રંથો લખાય છે, ને તેમાં દર વર્ષે સુધારો વધારો ઉમેરો થયા કરે છે અને હજુ થયા જ કરશે, ત્યારે જૈન આગમોમાં એવા સંપૂર્ણ વિજ્ઞાનથી ભરેલા વિષયોને સૂત્રબંધ કરવામાં આવેલા છે. અને તે દ્વાદશાંગમાં યથાસ્થાને મુકાયેલા છે. માટે સાંગોપાંગ સિદ્ધ અને સંપૂર્ણ સાહિત્ય છે. માટે તેનું સ્થાન કોઈ
લઈ શકે તેમ નથી. ૨૧. બીજી રીતે વિચાર કરતાં સામાયિક એ આત્મા છે. કર્મ પુગલો તેનું આવરણ કરીને તેમાં વિભાવ
ઉત્પન્ન કરે છે. આથી દ્રવ્યાનુયોગનો વિચાર કરવો પડે છે. તેમજ સામાયિકથી આત્મવિકાસ થતાં થતાં કેવળજ્ઞાન થાય છે, તેથી તે કેવળી ભગવંત જગતને કે કેવે સ્વરૂપે જુએ ? વગેરે વિચારણામાંયે દ્રવ્યાનુયોગ આવી જાય. જગતના દરેકે દરેક પદાર્થ ગણતરીના ચોકકસ હિસાબે સમજાવતાં ગણિતાનુયોગ વિના ચાલે જ નહિ, સામાયિક અને તેને લગતી આત્મપ્રગતિનાં સાધક કાર્યો કોણે કર્યા ? ને શા શા ફાયદા મેળવ્યા? અને કોણે કોણે કેટલે અંશે તેથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી તેને તેટલે અંશે શા શા ગેરફાયદા થયા ? તે સઘળું કથાનુયોગમાં આપવું જ પડે. અને સામાયિક પોતે ખુદ ચારિત્રરૂપ તો છે જ. એટલે ચારિત્રાનુયોગનો સંબંધ કરેમિ ભંતે ! સાથે છે. આમ અનેક જુદાં જુદાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના બાલ, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા બીજા અનેક સંજોગોને લીધે અનેક પ્રકારના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા શાંત કરવા અનેક વિચારોનો સંગ્રહ કરવો જ પડે. એટલે એ ચારેય અનુયોગનાં સૂત્રોનો વિચાર આ મુખ્ય સૂત્ર સાથે સંબંધ ધરાવે
જ છે. ૨૨. આ વાત ઉપરથી વાચક મહાશયો વિશાલ = ગણું મોટું ચિત્ર = વિચિત્ર અને બહુવર્થ = ઘણા
અર્થવાળું દ્વાદશાંગ = આ દ્વાદશાંગોપષદ્ રૂપ કરેમિ ભંતે ! સૂત્રનો અર્થ જ છે, એમ ચોકકસ સમજી શકાશે.
કરેમિ ભજો ! સૂત્રમાં કેવળ છ આવશ્યકોની જ સૂચના જ નથી. પરંતુ પ્રત્યેક આવશ્યક પણ છ છ આવશ્યકમય હોય છે. તે અને તેના જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ ભેદો પણ સૂચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org