Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 13
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૫. નમુક્કાર સહિયં વગેરે પ્રત્યાખ્યાનનાં સૂત્રો, વિસ્તારથી પ્રત્યાખ્યાન સૂત્રો છે. ૬. પક્ષી સૂત્ર, પોસહ સૂત્ર વગેરે તથા કરેમિ ભંતે ! સૂત્ર છે. ખુદ સામાયિક સૂત્ર સ્વરૂપે છે. ૧૩. આ ઉપરાંત તે ધ્યેય આવશ્યકના વિધિઓનાં જુદાં જુદાં બીજાં પણ તેની સાથે સંબંધ રાખતાં સૂત્રો છે. તે આ ગ્રંથનું વિવેચન વાંચવાથી લગભગ સમજાશે. ૧૪. આમ વિસ્તાર કરતાં કરતાં દ્વાદશાંગીનાં તમામ સૂત્રો આ મુખ્ય સૂત્ર સાથે સંબંધ રાખે છે. ૧. દાખલા તરીકે - લોગસ્સમાં ચોવીસ તીર્થંકરોનાં જીવનચરિત્રો આવી જાય. ૨. ગુરુવંદનમાં - આખી ગુરુ સંસ્થા - ગુરુકુલવાસની વ્યવસ્થા આવી જાય. ૩. સામાયિકમાં - પાંચ આચાર અને તમામ આત્મવિકાસના - ચોથા ગુણઠાણાથી માંડીને ઠેઠ ચૌદમા ગુણ સ્થાનક સુધીની વિચારણા આવી જાય. ૪-૫. પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનમાં અવિધિ અને તમામ સાંસારિક ઘટનાઓ અથવા બંધ અને આશ્રવતત્ત્વો આવી જાય. ૬. કાયોત્સર્ગમાં - વીર્યાચાર તથા આત્મવિકાસની ધ્યાન, ધ્યેય, આસન, મુદ્રા, શરીરાદિ ઉપર નિર્મમત્વ-ધર્મમાં મકકમતા ભોગ આપવાની તત્પરતા વગેરે સર્વ આંતર તૈયારીના વિચારોનો સમાવેશ થઈ જાય છે. તે તે દરેક વિષયની વિચારણા આગમસૂત્રોમાં વિસ્તારથી કરતાં કરેમિ ભંતે ! સૂત્રના જ વિસ્તારરૂપ બારેય અંગો થઈ જાય, એ સ્વાભાવિક છે. ૧૫. કયા સૂત્રમાં, કયા શ્રુતસ્કંધમાં, કયા અધ્યયનમાં, કયા ઉદ્દેશામાં કયો વિષય છે ? અને તે કેમિ ભંતે સૂત્ર સાથે પરંપરાએ કે સીધો કયો સંબંધ ધરાવે છે ? તે પણ બરાબર વિગતવાર વિચાર કરીએ, તો આપણને મળી શકે તેમ છે. અર્થાત્ દરેક અંગના દરેકે દરેક ઉદ્દેશાના નાનામાં નાનાં સૂત્રોના પણ સંબંધ આ સૂત્ર સાથે મળી શકે તેમ છે. પરંતુ તે ઘણો બહોળો વિષય થઈ જાય છે. આગમોના કયા ઉદ્દેશાદિ એક એક વિભાગનો કોની સાથે કઈ જાતનો સંબંધ છે ? તે સૂચક મથાળા કરવા મુશ્કેલ હોવાથી, તેમ ન કરતાં સૂત્રના પ્રથમ શબ્દ ઉપરથી ઘણા ઉદ્દેશા અને અધ્યયનોનાં નામ આગમોમાં જોવામાં આવે. [જો કે ઘણે ઠેકાણે અંદરનાં વિષયસૂચક પણ નામો હોય છે તેમજ ઘણે ઠેકાણે આગળ આવનારા વિષયો સાથેનો સંબંધ સમજાય, તેવાં પણ નામો હોય છે.] એમ નામકરણ ઘણું જ વિવિધ હોવાથી, કયા ઉદ્દેશામાં કયો ખાસ વિષય છે અને તે કોની સાથે સંબંધ ધરાવીને કયા આવશ્યકનું અંગ બનીને કરેમિ ભંતે ! સાથે કેવો સંબંધ ધરાવે છે તે આપણે એકાએક સમજી શકતા નથી. છતાં સૂક્ષ્મ અભ્યાસથી સમજી શકાય તેમ છે ખરું. ૧૬. કારણ એ પણ હોય છે કે, એક મુખ્ય વિષય સમજાવવા માટે તેને લગતા બીજા પેટા વિષયો પ્રથમ સમજાવવા પ્રકરણો આપ્યાં હોય છે. એટલે એ વિષય અભ્યાસી વાંચી જાય, કે તેનો અભ્યાસ કરી જાય, એટલે તેમના પછીનો વિષય બરાબર સારી રીતે તેનાથી સમજી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 883