Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 42
________________ દેવતાના ભેદ (૧) ભવનપતિ :- ૧૫ પરમાધામી ૧૦ અસુરકુમારાદિ (૨) વ્યંતર : ૮ વ્યંતર ૮ વાણવ્યંતર ૧૦ તિર્યર્જુભક ૨૬. (૩) જ્યોતિષ :- ૫ ચર ૫ અચર ૧0 (૪) વૈમાનિક :- ૨૪ કલ્પપપન્ન ૧૪ કલ્પાતીત ૩૮ પરમાધામી :-નરકના જીવોને દુઃખ આપનારા દેવો. નરકના જીવોને માત્ર પોતાની કુતુહલ વૃત્તિથી દુઃખ આપીને આનંદ માને છે. આમ તો આ દેવો અસુરનિકાયના છે, પણ તેમના કાર્યની પ્રધાનતાથી તેમની જુદી વિવક્ષા કરી છે. ભવનપતિ - આપણે વર્તમાનકાળે જે પૃથ્વીના પડ ઉપર છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું પડ ૧,૮૦,000 યોજન જાડુ છે. તેમાંથી ઉપર નીચે ૧૦૦૦ - ૧૦00 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ દેવો રહે છે અને પૂર્વકૃત પુણ્યનો ઉપભોગ કરે છે. વ્યંતર :- રત્નપ્રભા પૃથ્વીના પ્રથમના 1000 યોજનના પડમાં ઉપર નીચે ૧00-100 યોજન છોડી વચ્ચેના ૮00 યોજનમાં વ્યંતર દેવોનાં રમણીય અને સુંદર નગરો આવેલા છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104