Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 79
________________ ૧૨ ભાવના ૫૭ (૨) અશરણ ભાવના રોગ, મરણ આદિ પીડાઓ વખતે જીવને સંસારમાં કોઈનું શરણ નથી, એમ ભાવવું તે. (૩) સંસાર ભાવના :- ૮૪ લાખ યોનિમાં જીવની રખડપટ્ટી ચાલુ છે અને સંસારમાં દરેક જીવો જોડે વિવિધ પ્રકારના સંબંધો થયા છે અને થાય છે, એમ ચિંતવવું-ભાવવું તે. (૪) એકત્વ ભાવના :- જીવ એકલો જન્મે છે અને એકલો મરે છે અને એકલો કર્મને ભોગવે છે, એમ ભાવવું તે. (૫) અન્યત્વ ભાવના :- કુટુંબ, પરિવાર, ધન, મકાન, યાવત્ શરીર આ બધું મારું નથી, પારકું છે, એમ ભાવવું તે. (૬) અશુચિ ભાવના :- આ શરીર રસી, લોહી, માંસ, હાડકાં વગેરે અશુચિ પદાર્થનું બનેલું છે, મળ-મૂત્ર વગેરેથી ભરેલું છે, આવું ચિંતવવુ તે. -- (૭) આશ્રવ ભાવના :- ૪૨ પ્રકારના આશ્રવોથી આત્મામાં કર્મો પ્રતિસમય આવે છે અને આત્મા તેનાથી (કર્મથી) ભારે થાય છે. એમ ચિંતવવુ તે. (૮) સંવર ભાવના :- સમિતિ, ગુપ્તિ વગેરે ૫૭ ભેદોનું વારંવાર ચિંતવન કરવું તે. (૯) નિર્જરા ભાવના :- નિર્જરાના ૧૨ ભેદનું ચિંતવન કરવું તે. (૧૦) લોકસ્વભાવ ભાવના :- ચૌદરાજલોક તથા તેમાં રહેલા છ દ્રવ્યો, દેવતા-નારકો વગેરેના સ્થાનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો વગેરેનો વિચાર કરવો તે. (૧૧) બોધિદુર્લભ ભાવના :- અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને ચક્રવર્તીપણું, દેવતાપણું, રાજા-મહારાજાપણું વગેરે મળવું સુલભ છે, પરંતુ સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત થવું દુર્લભ છે, એમ ભાવવું. (તેથી સમ્યક્ત્વરૂપી રત્ન પ્રાપ્ત કરવા મહેનત કરવી અને પ્રાપ્ત થયું હોય તો તેનું યત્નપૂર્વક રક્ષણ કરવું.)

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104