Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 72
________________ આશ્રવતત્ત્વ . (૫) આશ્રવ તત્ત્વ) આશ્રવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે. આશ્રવ-૪૨ ઈન્દ્રિય - ૫-પાંચ ઈન્દ્રિયનું પરવશપણું, ઈન્દ્રિયના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ થાય તે. કષાય - ૪-ક્રોધ-માન-માયા-લોભ. અત - ૫ - પ્રાણાતિપાત - હિંસા મૃષાવાદ - અસત્ય અદત્તાદાન - ચોરી મૈથુન - અબ્રહ્મ પરિગ્રહ - ધન-ધાન્ય વગેરે ઉપર મૂચ્છ યોગ - ૩-મન-વચન-કાયાની પ્રવૃત્તિ. ક્રિયા-૨૫ (૧) કાચિકી - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે. દા.ત. જોયા વિના ચાલે, દોડે, કુદે, પુંજ્યા વગર પડખું ફેરવે છે. (૨) અધિકરણિકી :-નવા શસ્ત્રો બનાવવા, અથવા જૂના શસ્ત્રોને પરસ્પર જોડવા. (૩) પ્રાàપિકી - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી :- પોતાને કે બીજાને પીડા ઉપજાવવી. (૫) પ્રાણાતિપાતિકી :- પોતાનો કે બીજાનો વધ કરવો. (૬) આરંભિકી :- જેમાં જીવ કે અજીવનો આરંભ થાય. (૯) પારિગ્રહિકી :- જેમાં ધન્ય-ધાન્ય આદિનો સંગ્રહ અને મમત્વ થાય.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104