________________
૩૨૨
લવ યુ ડોટર નહીં તો બંને પક્ષે દુઃખી થવું નિશ્ચિત છે. I know my daughter, આજનું મિડીયા..આજનો એસફિયર બધું જ આ સગુણોનું વિરોધી છે. આજના માતા-પિતાઓ માટે આ પરિસ્થિતિમાં સંતાનોનું સાત્ત્વિક ઘડતર કરવું એ એક મોટી ચેલેન્જ છે. આ કામ અઘરું જરૂર છે. પણ અશક્ય તો નથી જ. જો માતા-પિતાની પ્રબળ ઇચ્છા હોય તો આજે પણ તપોવન સંસ્કાર ધામ જેવી કેટલીક સંસ્થાઓ આ કાર્યને સરળતાથી કરી રહી છે. જેમાં પોતાના સંતાનને એડમિટ કરવા માટે સેંકડો માતા-પિતાઓ પડાપડી કરે છે. આજે માતા-પિતાઓ પાસે બે જ વિકલ્પ છે. યા યોગ્ય ચકાસણી કરીને સારી સંસ્કારદાયક સંસ્થામાં સંતાનને એડમિટ કરી દેવો ને યા ઘરે જ એવી સંસ્થાનું વાતાવરણ ઊભું કરી દેવું. સંતાનને અને પોતાને બચાવવા માટે આ બે સિવાય ત્રીજો કોઈ જ વિકલ્પ નથી.