Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 58
________________ પંજિકા યેગી પ્રવર શ્રી આનંદઘનજી મહારાજ શ્રી સુમતિનાથ ભગવાનના રતવનમાં ફરમાવે છે કે – “બહિરાતમ તજી અંતર આતમાં રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ, સુજ્ઞાની; સુમતિ ચરણકજ આતમ અરપણું– સુમતિનાથ ભગવાનના ચરણકમલમાં આત્માપણું કરવાનો દાવ તે છે કે બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મભાવમાં સ્થિર થઈ પિતાને આત્મા તત્ત્વતઃ પરમાત્મા છે, એવા ભાવમાં રમણ કરવું. લેગસ— સૂત્રની સાતમી ગાથામાં તિર્મયરૂપ સંપાદન કરીને પિતાના સ્વરૂપમાં સ્થિત થવાની જ ત્રીજી યાચના છે. સાલંબન ભૂમિકાનું સ્વરૂપ સાતમી ગાથામાં રહેતું નથી. અહીં મહાપથપ્રયાણ શરૂ થાય છે. અહીં આત્મા અને પરમાત્માનો અભેદ થાય છે. આવા અભેદ પ્રણિધાનથી જ આત્મા સર્વ પાપોનું સંપૂર્ણ ધનન કરવા માટે સમર્થ થાય છે. અભેદ પ્રણિધાન જ અત્યંત વિશુદ્ધ ધ્યાન રહેવાથી તેનાથી વિપુલ ધનન-નિર્જરા થાય છે. જેવી નિજર અભેદ પ્રણિધાનથી થાય છે તેવી અન્ય સાધનાઓથી થવી દુઃશકય છે. અન્ય સર્વ અનુષ્ઠાને પણ અંતે અભેદ પ્રણિધાનમાં પરિણમે છે. આ વિષયમાં શ્રી નેમિદાસ કહે છે કે – “શુદ્ધાતમ દર્શન વિના, કમ ન છૂટઈ કેય, તેહ કારણ શુદ્ધાતમા, દર્શન કરે થિર હોઈ.” (અધ્યાત્મસારમાલા, ૧-૨). અભેદ પ્રણિધાનના કારણે–પરતત્ત્વસમાપત્તિના કારણે અંતરાત્મભાવ અનેક ચંદ્રોથી વધારે નિર્મલ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી અને “ભલિ નામે વિશ્રુત જે પરમશક્તિ છે તે આદ્યશકિત છે, ભગવતી છે, કુખ્ખાકૃતિને ધારણ કરનારી છે, તેનું રેખા અથવા કુંડલિની રૂપે વર્ણન કરવામાં આવે છે.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112