Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 74
________________ પરિશિષ્ટ--૨ સાડાત્રણ કળા ( ‘ ઉપદેશપદ ’ મહાગ્રંથ, પૃ૦ ૩૮૧-૩૮૩) “ ધ્યાનથી મેક્ષ થાય છે.” રાણીએ પૂછ્યું કે “ધ્યાન કેવા પ્રકારનું હાય ! ” “ ત્યારે ગીતા આચાય મહારાજે જૈનાગમામાં કહેલી ધ્યાન વિષયક સમજણ આપી કે જૈન–મતમાં આ પ્રમાણે એક ધ્યાનમાગ છે.” રૂપસ્થ ધ્યાનઃ- " “સપૂર્ણ શરશ્ચંદ્ર સમાન આહ્લાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન, પરિવાર સહિત, કેવલજ્ઞાનથી ઉજ્જવલ વર્ણવાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવું.’” ત્યાર પછી રાણીએ ધ્યાનના સ્વીકાર કર્યાં. પછી તેને કૌતુક ઉત્પન્ન થયું કે “ ધાર્મિ કાદિ પુરુષાના પ્રવેશ કેટલે દૂર સુધી થઈ શકે ? ' “આને અભિપ્રાય આ પ્રમાણે સમજવા કે ભગવત જે સમયે દેશના દેવા માટે પધારે છે, ત્યારે કોઈ એકાદ મહુદ્ધિક વૈમાનિક દેવ કદાચિત્ ત્રણ કિલ્લા સહિત અશકાદિ આઠ પ્રાતિહાર્યાંથી યુકત ચેાજન પ્રમાણ ભૂમિ ભાગને ઘેરેલ હોય તેવું સમવસરણ તૈયાર કરે છે અને કદાચિત્ ભવનપતિ વગેરે સં દેનિકાયા સાથે મળીને પણ આવા સમવસરણની દેવતાઈ પ્રભાવથી વિષુવ્વણા કરે છે, તેમાં દેવા વગેરે જે યાનવાહનાદિક ઉપર બેસીને આવ્યા હાય, તે સચેતન કે અચેતન હોય તેને ત્રીજા કિલ્લામાં પ્રવેશ કરાવે છે, જે હાથી ઘેાડા વગેરે તિર્યંચેા ભકિતથી આકર્ષાઈને અહીં ભગવંતના દર્શન–શ્રવણુ માટે આવેલા હાય, તે ખીજા કિલ્લાની અંદર પ્રવેશ કરે છે. હવે જે દેવા, દાનવો, માનવા આદિ ખાકી રહેલા હાય, તેઓ જ્યાં દેવ હાય, ત્યાં સુધી પ્રવેશ કરી શકે છે.” Jain Education International 2010_03 ܙܝ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112