Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિવરણ
૪૩
ગાથા-પ અહીં ત્રીજા ગાંગ “અ”ને ઉપગ રાખવાને છે.
ચતુર્વિશતિ જિનેનાં નામે ન્યાસવડે અંતર્ગત કરાય તે સાધકને નિવિચારતાને સ્વચ્છ સ્થિતિ પ્રવાહ જે “વૈશારઘ ” તે પ્રાપ્ત થાય છેતેનાથી બુદ્ધિની નિર્મલતા–પ્રસાદ થાય છે.
પહેલી ગાથામાં ઉદ્યોતકરના જે વિશેષણોને પ્રવેગ થયે છે, તેના અર્થો અહીં અપાયા છે–એટલે અહીં અથની–અભિધેયની વિચારણું હોય છે. આ પ્રકારે “સદૂભૂતગુણોત્કીર્તનની પ્રક્રિયા અહીં થાય છે.
આ પ્રક્રિયાથી “પાયચ્છિત્તકરણ” અથવા “દેષની વિશુદ્ધિ થાય છે. અહીં સમ્યકત્વની પ્રાપ્તિ અથવા “પ્રથમ અપૂર્વકરણ” સંભવે છે.
ગાથા-૬ અહીં ચોથા ગાંગ “આલંબન'ને ઉપગ રાખવાનું છે.
દશનભાવનાની પહેલી પ્રક્રિયા અનુસાર દશનવિશુદ્ધિ માટે નામસ્મરણ કર્યું, જ્ઞાનભાવનાની બીજી પ્રક્રિયા અનુસાર જ્ઞાનવિશુદ્ધિ માટે વિનયપૂર્વક વંદન કર્યું, ચારિત્રભાવનાની ત્રીજી પ્રક્રિયા અનુસાર ચારિત્રવિશુદ્ધિ માટે સદ્ભૂતગુણકીર્તન કર્યું
આ ચતુર્વિશતિ જિને જે ભવ્યપુરુષમાં ઉત્તમ છે અને જે દ્રવ્યસિદ્ધ છે, તેની પાસે વિવિધ પ્રકારના આચારેની શુદ્ધિ માટે પૂર્ણ આલેચના કરવાથી “વિસેડીકરણ–આત્માની વિશુદ્ધ સ્થિતિ પુનઃ સ્થાપિત કરી શકાય છે.
અહીં સમ્યકત્વનું બીજું અપૂર્વકરણ ઘટે છે. અહીં ભાવસમાધિ તથા સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ (પ્રાતિજ્ઞાન) ની પ્રાપ્તિ ઘટે છે.
અહીં “સાલંબન ધ્યાન” વર્તે છે. આ પ્રક્રિયાથી “વિહીકરણ” વિરોધીકરણ અથવા આત્માની પુનઃ વિશુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
અહીં સમનાશક્તિનો સાક્ષાત્કાર થાય છે. તે અને કુંડલિની શક્તિને સાક્ષાત્કાર બન્ને એક જ છે. અહીં સંપ્રજ્ઞાત સમાપત્તિને ઉપસંહાર થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112