Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra
Author(s): Ratilal Yatishishya
Publisher: Kalyanchandraji Jain Granthmala

View full book text
Previous | Next

Page 181
________________ આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર. તેઓની ઉચ્ચતમ બુદ્ધિ કોઈના પણ અવગુણુને યાદ કરવા અવકાશ જ નહોતી આપતી. તેઓશ્રી એમજ માનતા અને બીજાને મનાવતાં કે દીર્ઘદ્રષ્ટિથી શાંતિપૂર્વક સમાધાન કરી સમાજનું રક્ષણ કરવું એ પ્રથમ ધર્મ છે. આવેશના વેગમાં ક્રોધના અંધકારમાં માણસ પોતાનું ભાન ભૂલી જાય છે તેવા મનુષ્યની દયા ખાવી તેમાં જ તેઓનું કલ્યાણ છે. સ્વ. સમતામાં બીજાનું રક્ષણ સમાએલું છે એમ તેઓ માનતા. પ્રતિપક્ષી વ્યક્તિઓ જ્યાં આવતી સંભળાઈ તે વખતમાં પૂજ્યશ્રી ગાદી ઉપર જઈ ધ્યાનસ્થ સ્થીતિમાં બેઠાં. તેફાન કરનારી વ્યક્તિઓ રસ્તે આવતી મહાલક્ષમીની દેરી આગળ આવી અને ત્યાં થંભી ગઈ. કેઈને આગળ રસ્તે સૂઝ જ નહીં. સૈની બહાવરા જેવી સ્થીતિ થઈ અને જેને જેમ ફાવે તેમ પાછા ફરી સિંહને જોઈ જેમ શીયાળ ભાગે તેમ ભાગી ગયાં. પાઠક ! કયાં ગયું તેમનું પાશવી બળ? કહેવું જ પડશે કે પૂજ્યશ્રીની આધ્યાત્મિક શક્તિની સામે બળીને ખાખ થઈ ગયું. પાશવી બળને આધ્યાત્મિક બળ સામે વિજય થતું જ નથી, થયો નથી, અને થશે પણ નહીં. : ૧૩૬ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226