Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ અક૫] શ્રી જિનશાસનમાં પ્રમાણનું સ્થાન [૩૦૧] જાતિના પ્રચારમાં સાથ આપવો, એ કોઈ પણ શાસનહિતાર્થી આત્મા માટે કર્તવ્યરૂપ નથી કિન્તુ અકર્તવ્ય છે. શ્રી જૈન શાસનને અનુસરનારા પૂર્વના મહાપુરૂષોએ પિતાની જાતને બહાર લાવવા તે પ્રયાસ કદી જ કર્યો નથી. આજના ઈતિહાસવાદીઓ ભલે ખામી માને પણ તે તે મહાપુની શિષ્ટતા છે. અને તેઓની નિરભિમાનિતાનો સાક્ષાત પુરાવે છે. એ કારણે સર્વ શ્રેષ્ટ શ્રી જૈન શાસનની સેવા દ્વારા પિતાના આત્માને અનુપમ લાભ કરવાની ઈચ્છાવાળા પ્રત્યેક આત્માનું એ કર્તવ્ય છે કે આજે જે રીતિએ અતિહાસિક પ્રમાણને મહત્વ આપવાના પ્રયતને થઈ રહ્યા છે તેમાં પિતાનો સાથ અપાત હેય તે પહેલી તકે તેમાંથી દૂર ખસી જવું જોઈએ. આજના ઐતિહાસિક પ્રમાણને મહત્ત્વ આપનારાઓ સત્યની શોધ માટે પ્રેરાયેલા છે એ કોઈ પણ રીતિએ સિદ્ધ થઈ શકે તેમ નથી; પ્રત્યુત તે દ્વારા સર્વે પ્રમાણથી સિદ્ધ અને ભારેમાં ભારે પ્રતિષ્ઠાને પામેલ આગમ પ્રમાણની અવગણના કરવાને તેની પાછળ બદ ઈરાદે છુપાયેલું હોય એમ સ્પષ્ટ માલુમ પડી આવે છે. ઈહિલૌકિક કિર્તિની ભૂખ પણ એને ઉત્તેજિત કરવામાં આડકતરી રીતિએ સહાયભૂત થઈ રહી છે. પણ તેથી જે શ્રી જિનશાસનની અસેવા થતી હોય તે તે શ્રી જૈન શાસનના કોઈ પણ સાચા ઉપાસકને માન્ય હોઈ શકે નહિ. શ્રી જૈનશાસનને સાચો ઉપાસક ઇતિહાસ પ્રમાણને જરૂર માન્ય રાખે, જે તે આગમ પ્રમાણને પુષ્ટ કરનારું હોય. આગમ પ્રમાણને પુષ્ટિ આપનાર કોઈ પણ પ્રમાણુને માન્ય રાખવા માટે જનદર્શનના ધુરંધર ઉપાસકેએ કદી પણ પાછી પાની કરી નથી. લેકપ્રમાણ જેવા અશિક્ષિત પ્રમાણો અને ઈતર દર્શનકારે જેવા એકાન્ત દર્શનકારોનાં પ્રમાણે યાવત કામશાસ્ત્રકાર જેવાં, મનુષ્યએ બનાવેલાં કામ પ્રધાન શાસ્ત્રના પ્રમાણે તે પણ જે આગમ પ્રમાણથી અવિરૂદ્ધ અને આગમ પ્રમાણને પિપણ આપનારાં હોય તે તેનું અવલંબન લઇને તેવા પ્રકારની ગ્યતાવાળા જીવોને સદ્ધર્મમાં સ્થિર કરવા માટે પૂર્વ મહાપુરૂષોએ પુરતા પ્રયત્ન કર્યો છે. અવિરૂદ્ધ પ્રમાણે ઉપદેશમાલા પ્રકરણના રચયિતા પ્રભુ શ્રી વિરપરમાત્માના હરતદીક્ષિત શિષ્ય અને અવધિજ્ઞાનને ધારણકરનાર પૂ. શ્રી ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ સ્વરચિત શ્રીઉપદેમાલા પ્રકરણમાં ફરમાવે છે કે 'धम्मो पुरिसप्पभवो पुरिसवर देसिओ पुरिसजिट्ठो। लोए बि पहू पुरिसो किं पुण लोगुत्तमे धम्मे ॥', ધર્મમાં પુરૂષ એ પ્રધાન છે, એ વાત જિનશાસનથી સિદ્ધ હોવા છતાં પુરૂષની પ્રાધાનતા સિદ્ધ કરવા માટે લોકનું પ્રમાણ આપી સ્ત્રીઓ કરતાં પુરૂષની પ્રધાનતા છે, એમ તેઓશ્રી સમજાવે છે. એનો અર્થ એ નથી કે અજ્ઞાન અને નિર્વિચાર લોક જે અભિપ્રાય ધરાવે તે માન્ય રાખવા લાયક છે, કિન્તુ જે લેકે બીઓને પણ પ્રધાન માનનાર છે તે પણ જ્યારે પ્રભુત્વ સ્ત્રીઓને સોંપવાનો ઇન્કાર કરે છે ત્યારે અનન્ત જ્ઞાન દ્વારાએ તેવા પ્રકારના અનર્થને સાક્ષાત જાણનાર શ્રી સર્વ દે ધર્મના વિષયમાં સ્ત્રીઓને પ્રધાનપદ ન આપે અને પુરૂષોને જ આપે, એ ==in Education તદ્દન સ્વાભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44