Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૦] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૩ રજુ કર્યું છે. એવી રીતે આવયસુત્ત (નિજુત્તિ સહિત)ની વિકૃત્તિ (ના બીજા પત્ર)માં શ્રી મલયગિરિસરિએ પણ એમ જ કર્યું છે. વિશેસાવયભાસ (ગા. ૧૨)ની બૃહદવૃત્તિના ૧૭ મા પત્રમાં પ્રથમ ચરણ માલધારી શ્રી હેમચન્દ્રસરિએ અવતરણ રૂપે નોંધ્યું છે. આ પ્રમાણે અનેક ગ્રંથકારને નિર્દેશ થઈ શકે તેમ છે, પરંતુ તેમ કરવા જતાં આ લેખનું કલેવર વધી જવાના ભયથી હવે કેટલાકને જ નામનિર્દેષ કરી સંતોષ માનવામાં આવે છે – (૧) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ગુરૂભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ચન્દ્રસેનસૂરિ, ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણની એમણે રચેલી પજ્ઞ ટીકાના બીજા પત્રમાં પ્રસ્તુત પદ્ય અવતરણરૂપે અપાયેલું છે. (૨) શ્રી જિનદત્તસૂરિ કૃત ચેઇયવંદકુલયની વિકૃત્તિના રચનાર શ્રીજિનકુશલસરિ, એમણે વિ. સં. ૧૭૮૩ માં રચેલી વિવૃત્તિ (ના ૨ બ પત્રોમાં આ પદ્મ અવતરણરૂપે રજુ કર્યું છે. (૩) ભક્તામર સ્તોત્રના વૃત્તિકાર શ્રી ગુણાકરસૂરિ, એમણે આ સ્તોત્રના આઠમા પલની વૃત્તિના ૨૩ મા પૃષ્ઠમાં પ્રસ્તુત પદ્ય અવતારરૂપે આપ્યું છે. આ વૃત્તિ વિ. સં. ૧૪૨૬ માં રચાયેલી છે. વિસાવસ્મયભાસ (ગા. ૧૨) માં “વા વિઘા ” એવું જે પ્રાથમિક ચરણ દૃષ્ટિગોચર થાય છે તેની સાથે પ્રસ્તુત પદ્યનું ચરણ સરખાવી શકાય તેમ છે. આ પ્રમાણે એક પદ્ય પરત્વે યથાસાધન ઊહાપોહ કરી હું વિરમું છું, પરંતુ તેમ કરવા પૂર્વે આ પદ્યના કર્તત્વ વિષે, એને પ્રથમ અવતરણરૂપે રજુ કરનાર જૈન છે કે અજૈન તે પરત્વે તેમજ એ પદ્યનું ભાવાત્મક વિવરણ કોઈએ રજુ કર્યું હોય તે તે સંબંધમાં વિશિષ્ટ પ્રકાશ પ્રમાણુ પુરસ્સર પાડવા હું તજને વિનવુ છું: માંકડી શેરી, ગોપીપુરા. સુરત. તા. ૧૯-૨-૩૮ તત્વાર્થાધિગમસત્ર (અ. ૨. સૃ. ૧૭)ની વ્યાખ્યા નામે તત્ત્વાર્થરાજવાર્તિક ના ૮૦ મા પૃષ્ઠગત “સેવામ” વાળી પંક્તિ આચારંગસુત્તની શ્રી શીલાંકસૂરિત વૃત્તિના ૧૦૪ મા પત્રગત પંકિત સાથે મળતી આવે છે, એની અત્ર નેંધ લેવી દુરસ્ત સમજાય છે ૪ કમ્મપયડિની ટીકાના પહેલા પત્રમાં તેમજ પંચસંગ્રહની ટીકાના પણ પહેલા પત્રમાં એ શ્રીમલયગિરિ સૂરિએ અવતરણુરૂપે પ્રસ્તુત પર્વ આપ્યું છે. ૫ આ સંપૂર્ણ ગાથા પંચાશકની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિના પ્રથમ પત્રમાં અવતરણુરૂપે નજરે પડે છે. એવી રીતે એ પ્રમેયરત્નમંજુષાના ચતુર્થ પત્રમાં જોવાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46