Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir تموت કે પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે કકકકકકકરું લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્યુલબ્ધિસૂરિજી કકકકક્કકકકકક્કકકકકકકકકકકકકા (ગતાંકથી ચાધુ ) પ્રભુ મહાવીર સ્વામી કથિત વીતરાગ દર્શનમાં નવ તત્ત્વનું નિરૂપણ છે અને તે સત્યથી ભરપૂર છે. નવને અંક ગણિતમાં અભંગ ગણાય છે, કારણ કે નવને બમણું કરીએ તો અઢાર થાય. અઢારના અંકમાં એકડો અને આઠડે છે, તે આઠડા અને એકડાનો સરવાળો કરતાં નવું જ થાય છે. નવને ત્રણગુણ કરતાં સત્તાવીશ થાય, ત્યાં પણ સાત અને બેનો સરવાળો કરવાથી નવ ને નવ જ થાય. એવી રીતે નવને ગમે તેટલાએ ગુણીએ તો પણ સરવાળે કરતાં નવના નવ જ કાયમ રહે છે. તેવી જ રીતે દુનિયાનાં જુદા જુદા દર્શનનો ફેલાવો પામેલાં તત્ત્વોને ગમે તેટલે વિસ્તાર થવા પામે છતાંયે વિચારના સરવાળે તે તમામ તો નવ તોમાં જ સમાઈ જાય છે. વળી મહાવીર પ્રભુએ કથન કરેલાં નવ તત્ત્વનું સમ્યગજ્ઞાન કાયમ રહે ત્યાંસુધી શ્રદ્ધા ભુંસાતી નથી, પરંતુ નવના ગણિતની જેમ પિતાનું સ્થાન કાયમ ભોગવે છે. અને તે શ્રદ્ધા દ્વારા આત્મા અવ્યયપદને ભોક્તા બને છે, અને કેવળદર્શન અને કેવળજ્ઞાન દ્વારા જગતના ચરાચર ભાવોને દેખે અને જુએ છે. આવા અપ્રતિપાતિ સ્થાનની પ્રાપ્તિમાં જે તનું સમ્યજ્ઞાન અસાધારણ કારણ છે તે તોને આપણે જરૂર જાણવાં જોઈએ. જીવ, અજવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવા ત છે. તેમાં પહેલું તત્ત્વ જીવ છે, તે સાધક તત્ત્વ છે. અને એટલું તત્વ મોક્ષ છે તે સાધ્ય તત્ત્વ છે. જીવ તત્વ સાધક ન હોય તો સાધ્ય તત્વ મોક્ષ હોઈ શકે જ નહી, માટે સર્વથી પ્રથમ સાધક તત્તનું નામ આવે તે વ્યાજબી છે, કારણ કે પ્રધાનતા સાધકની છે. અને સાધ્ય એટલે ફલરૂપ મોક્ષ છેલું હોય તે પણ બરાબર છે, કેમકે સાધનરૂપ તમામ ક્રિયાને અંતે ફળની પ્રાપ્તિ થાય છે. વચમાં રહેલાં તો સાધનની કેટિના તથા તે તત્વને રુકાવટ પહોંચાડનાર બાધકની કોટિનાં છે. સાધનને સમજવાની જેટલી જરૂરીઆત છે તેનાથી બાધકને ઓળખવાની ઓછી જરૂરીઅત છે એમ કાઈ પણ ગુરુ અને ધર્મના સ્વરૂપની બાબતમાં, દિગમ્બરની ઉપકરણ-ત્યાગને અંગે થયેલી ઉત્પત્તિથી, કે કે વિપર્યાસ થાય છે તે જણાવવું જરૂરી છે છતાં પણ અત્યારે તેને વિસ્તાર નહિ કરતાં માત્ર દેવપણાને અંગેની માન્યતાનું અને તેને લીધે થયેલે, પ્રવર્તનમાં વિપર્યાસ જે દિગમ્બરેનો હતે તે જણાવી આ લેખ આટલેથી સંપૂર્ણ કરવામાં આવે છે. સમાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62