Book Title: Jain_Satyaprakash 1937 08 SrNo 25
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ત્યારે કપિલાદાસી આદિના દાતા આપી પ્રભુદેવે સમજાવતાં કહ્યું કે હે શ્રેણિક, કપિલા દાન દે જ નહિ, કસાઈ હિંસાથી અટક્ય જ નથી, તેમ તમારું નરકગમન મિથ્યા થાય નેમ છે જ નહિ, પરંતુ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં મારા જેવા પહેલાં ' પદ્મનાભ” નામે તીર્થકર થશે. તીર્થંકર પ્રભુનું વચન સત્ય જ હોય, જેથી તે જ પ્રમાણે બન્યું. રાજા શ્રેણિકર—મરણ પામી રત્ન પ્રભા નામની પ્રથમ નરકમાં સીમંતક નરકાવાસમાં નારકપણે ઉપજ્યા. ત્યાં તેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું છે, પ્રશ્ન– પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણથી કેટલો સમય વીત્યા બાદ રાળ શ્રેણિક તીર્થકર થશે? ઉત્તરઃ- ૮૪ ૦ ૦૭ વર્ષ પાંચ માસ જીત્યા બાદ તીર્થકર થશે. તે આ પ્રમાણે : અવસર્પિણના – ચોથા આરાના ૩ વર્ષ આઠ માસ અને પંદર દિવસ, અવસર્પિણીના પગમાં છટ્ટા આરાના ૪૨ ૦૦૦ વર્ષ, ઉત્સર્પિણી પહેલા અને બીજા આરાના ૪૨ ૦૦૦ વર્ષ અને ત્રીજા આરાના ૩ વર્ષ ૮ માસ અને પંદર દિવસ એમ કુલ ૮૪૦ 19 વર્ષ અને પાંચ માસ થયા. बुलमी वाम सहस्सा, वामा सत्तेव पंच मामाय । वीरमहापउमाणं, अंतरमेयं वियाणाहि-१॥ ॥ प्रवचनसारोद्वार ।। રાજા શ્રેણિક, નરક ભવમાંથી નીકળી આવતી ઉત્સપિણમાં જ ખૂહીપના ભરતક્ષેત્રે વૈતાઢય ગિરિયાદમૂલે મુંડ નામના દેશે શતદાર નગરમાં સાતમા સમુછે કે કુલકરની ભદ્રારાણીની કુક્ષિમાં પુત્રપણે આવશે-નવ મહિના અને છરા દિવસ વીત્યા બાદ જન્મ પામશે. ભાર–કુંભ–પ્રમાણ–પદ્મ (કમલ) આદિની વૃષ્ટિ થવાથી માતપિતા બારમે દિવસે-મહાપદ્મ' એવું ગુણનિષ્પન્ન નામ પાડશે. માતપિતા સાધક આઠ વર્ષની ઉંમર થતાં મહાપા કુમારને ગાદિએ બેસાડશે–રાજા બનાવશે. મહાપા રાજા રાજ્યનું પાલન કરશે, તે સમયે પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર નામના બે મદિર્ધક દેવ સેનાનું કામ કરશે. લકા આ બીના જોઈ આશ્ચર્ય પામી મહાપદ્મ રાજાનું દેવસેન” એવું બીજું નામ પાડશે. કેટલોક સમય વીત્યા બાદ ચાર દાંતવાળી હસ્તિરત્ન પ્રગટ થશે તેની ઉપર રાની સવારી કરી નીકળશે. આથી આશ્ચર્ય પામી લેક ‘વિમલવાહન” એવું ત્રીજું નામ પાડશે. અનુક્રમે માતાપિતા દેવલોક પામ્યા બાદ ત્રીસ વર્ષની ઉંમરે વડિલેની આજ્ઞા લઈ છે અનિયવાળું સંવછરી દાન દઈ મહોત્સવ પૂર્વક બગીચામાં એક દેવ દૂખ્ય વસ્ત્ર ધારણ કરી મુંડ થઈ સંયમ ગ્રહણ કરશે. શેષ બીના પ્રભુ શ્રી મહાવીરના જેવી જાણવી. સાધિક બાર વર્ષ પ્રમાણ છઘકાલ દરમ્યાન દેવતાઈ આદિ ઉપસર્ગો સહન કરશે. અષ્ટ પ્રવચન માતાપાલક, ગુપ્ત બ્રહ્મચારિ, અમમ અકિંચન, નિરૂપલેપ, ગ્રંથ છેદક થશે. कंसे सखे जीवे, गगणे वाण्य सारए मलिले ॥ पुक्खर पत्ते कुंभे, विहगे खग्गे य भारंडे ॥॥ ૧. વિ ષ બીના જાણવા માટે-જુઓ-ઉપદેશ પ્રાસાદ ચોથું વ્યાખ્યાન. ૨. ભંસાર-એવું બીજું નામ છે. 3. રત્ન સંચયમાં કહ્યું છે. ૪. સુમતિ કુલકર-એમ-ઉપદેશપ્રાસાદના ૨૦૯માં વ્યાખ્યાનમાં. ૫. વનાદિની તિથિ-શ્રીમહાવીરની માફક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62