Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 40
________________ - ૩૧ પાઠ ૧૭ જગ ભાગ ૩ જે. - હવે ધર્મ અને અધર્મ નામના અરૂપી અજીવ પદાર્થની વાત કહીશું. ધર્મ અને અધર્મ શબ્દ અહીં સામાન્ય અર્થમાં નહિ, પણ વિશેષ અર્થે લાગુ પાડયા છે. ધર્મ શબ્દને વિશેષ અર્થ અહીં એમ કરે કે જે પદાર્થ જીવ અને પુદ્ગલને ગતિમાં ચાલુ રહેવામાં મદદગાર હોય તે, અને તેમને સ્થિતિમાં રહેવાને મદદગાર તે અધર્મ. જેમ માછલામાં તરવાની શકિત છે પણ પાણી વિના તરી શકે નહિ. તેમ જીવ-પુદ્ગલમાં શકિત હોય તથાપિ ધર્માસ્તિકાયની મદદ વિના ગતિ કરી શકે નહિં. તેમજ અધર્માસ્તિકાય વિના સ્થર રહી શકે નહી." આ રીતે જગતમાં એકંદર છ પદાર્થ રહેલા છે:-જીવ પુદગલ, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ, આ છ પદાર્થને પદ્રવ્ય કહેવામાં આવે છે. ષડુ એટલે છ અને દ્રવ્ય એટલે પદાર્થ. આ છ દ્રવ્ય જેટલા ભાગમાં સઘળા સાથે મળીને રહે છે, તેટલા ભાગને લેાક કહે છે. અને તે સિવાયના બાકીના ખાલી આકાશને અલોક કહે છે. લેકની હદ છે, પણ અલકની કશી હદજ નથી. લોક તેજ જગત છે. તેના ત્રણ વિભાગ પડેલા છે :-ઉર્વલક, અધોલેક અને તિર્યકલાંક-અથવા સ્વર્ગ મર્યાં અને પાતાળ આને જ તિલક-ત્રિલેકી-ત્રિજગત-ત્રિભુવન વગેરે નામ અપાય છે. - ૧ આ બે પદાર્થ સંબધી વધુ ખુલાસાવાર સમજણ ઉપરન પુસ્તકમાં આપવામાં આવશે. ૨ Six Substances. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108