Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 95
________________ નિત્ય-કર્તવ્ય. સવાલ-૧ આપણે ક્યાં ક્યાં કામે દરરોજ કરવાનાં છે ! જવાબ- તેવાં કામે ઘણું છે પણ તેમાંનાં મુખ્ય આ આ પ્રમાણે છે;–વિદ્યાભ્યાસ, દેવદર્શન, દેવપૂજન, ગુરૂદશન, માતૃપિતૃ સેવા, જીવાપર અનુકમ્મા વગેરે અને છે આવશ્યક એટલે અવશ્ય કરવાનાં કામે દરરોજ કરવાનાં છે. ૨ સવાલ-૨ દેવદર્શન-પુજાને શો હેતુ? જવાબ–- દેવથી–અર્વત, અઢાર દૂષણ રહિત અને અમુક ગુણે કરી સહિત છે, તેમને ભકિતપૂર્વક, વંદન પુજન કરતો આપણે આત્મા તેમની તરફ વળે છે અને તેમ થયું કે આપણું દોષ પણ જવા માંડે છે અને ગુણે પ્રગટ થાય છે. સવાલ-8 ગુરૂ ભકિતનો હેતુ શો ? જવાબ– ગુરૂ આપણે કરવા ગ્ય અને નહિ કરવા ગ્ય વસ્તુ શી છે તેની સમજ આપે છે. માટે જેમ દીવા વગર ન ચાલે તેમ ગુરૂ વિના ન ચાલે, માટે તેમના તરફ ભકિત રાખવાથી અગ્ય ક્રિયા બંધ થઈ ગ્ય ક્રિયા કરતાં આવડે છે. ૧ તે વિષે વિસ્તારથી આગલા પુસ્તકમાં કહેવાશે. ૨ જેમ કે દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, માસી, વાર્ષિક અને હંમેશનાં કૃત્ય, નીયમ લેવા ઈત્યાદિ. હાલ શિક્ષકે આ વિષે થોડું સમજાવવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108