Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 18
________________ ૨૬ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર કરતાં શ્રમણોની સંખ્યા વિશેષ હતી. પદ્મપ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ ગુજરાતી તિથિ ચ્યવના મહા વદ ૬ નવરૈવેયકથી પોષ વદ ૬ કૌશામ્બી. જન્મ કારતક વદ ૧૨ કૌશામ્બી આસો વદ ૧૨ દીક્ષા કારતક વદ ૧૩ કૌશામ્બી આસો વદ ૧૩ કેવળજ્ઞાન ચૈત્ર સુદ ૧૫ કૌશામ્બી ચૈત્ર સુદ ૧૫ નિર્વાણ સમેતશિખર કારતક વદ ૧૧ પ્રભુશ્રી સુમતિનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૧૦૭; કેવળજ્ઞાની ૧૨,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૦,૩૦૦; અવધિજ્ઞાની ૧૦,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૬,૧૦૮; ચતુર્દશપૂર્વી ૨,૩૦૦; ચર્ચાવાદી ૯,૬૦૦; સાધુ ૩,૩૦,૦૦૦; સાધ્વી ૪,૨૦,૦૦૦; શ્રાવક ૨,૭૬,૦૦૦; શ્રાવિકા ૫,૦૫,૦૦૦ ૭: શ્રી સુપાર્શ્વનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના ત્રણ ભવ થયા છે, ભરતક્ષેત્રની વારાણસી નગરીમાં પ્રતિષ્ઠિત નામનો રાજા અને તેમની પૃથ્વી નામે મહારાણી હતાં. સુપાર્થ પ્રભુનો જીવ છઠ્ઠી રૈવેયકથી ચ્યવી, શ્રાવણ વદ ૮ના, વિશાખા નક્ષત્રમાં પૃથ્વીદેવીની કુક્ષિમાં અવતર્યો. પ્રભુનું ચ્યવન થયું. ૨૪ ગર્ભવૃદ્ધિ પામતાં માતાએ એક, પાંચ, નવ ફણાવાળાનાગની તીર્થંકર શય્યા પર પોતાને સૂતેલા જોયા. પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં, જેઠ સુદ ૧૨ના વિશાખા નક્ષત્રમાં, સુવર્ણવર્ણી સ્વસ્તિકના લાંછનાવાળા 4th પુત્રનો જન્મ થયો. Proof પ્રભુના પાર્થ (પડખા) શુભ હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાના દેહમાં પડખાની સુંદરતામાં વધારો થયો તેથી પુત્રનું નામ સુપાર્શ્વ પાડ્યું. યૌવનને પ્રાપ્ત ૨૦૦ ધનુષ્યની ઊંચી કાયાવાળા સુપાર્શ્વકુમારના વિવાહ અનેક રાજકન્યાઓ સાથે થયા. પિતાએ તેમનો રાજ્યાભિષેક કર્યો. પૂ.શ્રીએ રાજ્યનું પાલન ઉત્તમ પ્રકારે કર્યું. પ્રભુની દીક્ષા: દીક્ષા સમય નજીક આવતાં સુપાર્થ રાજા, મનોહરા નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. જેઠ સુદ ૧૩ના, અનુરાધા નક્ષત્રમાં, ૧,૦૦૦ રાજવીઓ સાથે, પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે પાટલીખંડનગરના, મહેન્દ્ર રાજાને ત્યાં, પ્રભુએ ખીરથી પારણું

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65