Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 24
________________ ૩૮ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ ચ્યવના ચૈત્ર વદ ૬ પ્રાણત દેવલોક વૈશાખ વદ ૬ થી ભદ્રિલપુર જન્મ પોષ વદ ૧૨ ભદ્રિલપુર મહા વદ ૧૨ દીક્ષા પોષ વદ ૧૨ ભદ્રિલપુર મહા વદ ૧૨ કેવળજ્ઞાન માગસર વદ ૧૪ ભદ્રિલપુર પોષ વદ ૧૪ નિર્વાણ ચૈત્ર વદ ૨ સમેતશિખર વૈશાખ વદ ૨ ૨૪ પ્રભુશ્રી શીતળનાથ ભગવાનનો પરિવાર: ગણધર ૮૧; તીકર કેવળજ્ઞાની ૭,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૭,૫૦૦; અવધિજ્ઞાની ૭,૨૦૦; વૈક્રિય લબ્ધિધારી ૧૨,૦૦૦; ચતુર્દશપૂર્વી ૧,૪૦૦; ચર્ચાવાદી ૫,૮૦૦; સાધુ ૧,૦૦,૦૦૦; સાધ્વી ૧,૦૬,૦૦૦; 4th શ્રાવક ૨,૮૯,૦૦૦; શ્રાવિકા ૪,૫૮,૦૦૦ Proof ૧૧: શ્રી શ્રેયાંસનાથ સ્વામી આ ભરત ક્ષેત્રના કાશી દેશમાં સિંહપુર નામે નગર હતું. તેમાં વિષ્ણુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેઓને વિષ્ણુદેવી નામે પટરાણી હતાં. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. પ્રભુનું ચ્યવનઃ નલિનીગુભ દેવનો જીવ જેઠ વદ-૬ના દેવલોકથી ચ્યવી, વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. પ્રભુનો જન્મઃ ગર્ભાવસ્થામાં યોગ્ય સમય વ્યતીત થતાં ફાગણ વદ ૧૨ના રોજ, ગેંડાના લાંછનવાળા, પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુઅધિષ્ઠિત શય્યાને નિર્વિઘ્ન, માતા ઓળંગી ગયાં અને પ્રભુના શ્રેયસ્કારીપણાથી શ્રેયાંસ નામ રાખ્યું. અનેક રાજકન્યાઓ સાથે શ્રેયાંસકુમારના વિવાહ થયા. યોગ્ય સમયે કુમારનો રાજ્યાભિષેક થયો. તેઓએ ૪૨ લાખ વર્ષ પર્યત રાજ્યભાર વહન કર્યો. પ્રભુની દીક્ષા: દીક્ષા સમય સમીપ જાણી રાજાએ શ્રેયસ્કર નામના પુત્રને રાજ્ય કારભાર સોંપીને, વિમળપ્રભા નામની શિબિકામાં આરૂઢ થઈ, પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ફાગણ વદ ૧૩ના છઠ્ઠ તપ કરીને, ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે, સિદ્ધાર્થનગરમાં, નંદરાજાને ઘેર ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. આર્યભૂમિમાં વિચરતા વિચરતાં, મહત્વનું ચિંતન કરતા રહ્યા. 23

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65