Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધમ પ્રકાશ. નિવાસી જ્યોતિષીનો વૈશાખ વદ ૬ છે તે બરાબર છે એવે છે. તે બંને વાંચવા લાયક છે. વકીલ ડાહ્યાભાઈ પ્રેમચંદે આપેલે વસ્તુપાળ મંત્રીની સંસકાર ભૂમિના નિર્ણય ને લેખ પણ શત્રુંજયના અંગનો જ છે. ૩૪ અતિશયવાળે આ માસિકના ૩૪. મા વર્ષને અંગે લખેલો વકીલ નંદલાલ લલુભાઈને લેખ પણ ખાસ વાંચવા લાયક છે. ઉપરાંત લેખ છુટક છુટક લેખકે ગુલાબચંદ મુળચંદ, નતમ બી. શાહ, દુર્લભ દાસ કાળીદાસ અને ત્રિભુવનદાસ કલ્યાણદાસના લખેલા છે. પ્રાયે દરેક લેખ ઉપગી જણાવાથીજ દાખલ કરવામાં આવ્યા છે. એક લેખ કપડવંજના દીક્ષા લેનાર સંબંધી ખુલાસાનો આર્યપ્રકાશના લેખકે લખેલા ભૂલ ભરેલા લેખના રોગ્ય પ્રત્યુત્તર માટે દાખલ કરવામાં આવ્યો છે. - તંત્રીના લખેલા કુલ નાના મોટા ૨૪ લેખો પિકી ૧૭ ની હકીક્ત ઉપર લખાઈ ગયેલી છે. બાકીના ૭ લેખો પૈકી કૂટ નોંધીને ચર્ચાના લેખે આ વર્ષમાંજ દેખાવ આપે છે, અને તે બારે અંકમાં નાના મોટા પ્રમાણમાં આવેલું છે. મારા વાંચનારાઓનું આ લેખે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. તેમાં આપેલી ચચોથી કેટલીક વખત કેટલાક માસિક ને ન્યૂસપેપરવાળા બંધુઓનું દિલ દુખાયેલું જણાયું છે, તેથી હવે પછી તેવી બાબત ન લખવાને જ વિચાર રાખે છે. કારણકે કેટલીક વખત હિત પણ હિતપણે પરિણમી શકતું નથી. બીજો લેખ હિતશિક્ષાના રાસના રહસ્ય, ને છ અંકમાં આપેલ છે. તે લેખ બે વર્ષથી શરૂ થયેલે છે, અને હજુ બહુ મુદત ચાલવાને છે. આ લેખ જેનસમુદાયને પોતાની પ્રવૃત્તિ શુદ્ધ કરવાને અંગે બહુજ ઉપયોગી છે. બાકીના ૫ લેખ નવું વર્ષ વિગેરેના છે, જેમાં એક તે ટુંકી કથા ઓને છે, નવા વર્ષને કાયમના રીવાજને લગતો છે, મૃત્યુના ભયવાળે લેખ ખાસ વાંચવા લાયક છે, કારણ કે તેમાં તેના કારણને નિવારણ બતાવેલાં છે. સિદ્ધાચળના ૧૦૮ નામે તો પ્રાચીન પત્ર મળવાથી લખેલા છે અને જેને પંચાંગ ઉપરને લેખ. જેના પંચાંગના નામથી રળી ખાવા ઈછનારે જૈન શૈલી. વિરૂદ્ધ બહાર પાડેલા જેન; પંચાંગ પર લખવો પડ્યો છે. આ પ્રમાણે મારા ગત વર્ષના દેહનું સામાન્ય ચિત્ર છે, તે મારા વાંચનારાઓના દિલમાં એક સાથે પ્રવેશ કરી શકે તેટલા માટે અત્ર ચિતરવામાં આવેલું છે, હવે પ્રસ્તુત વર્ષ માટે મારા ઉત્પાદકે કેવી ઈચ્છા રાખે છે. તે હું તેમને હૃદયમાં વસનાર હોવાથી જાણું લઈને પ્રદર્શિત કરું છું., નવા શરૂ થયેલા વર્ષમાં પદ્ય લેખ તરીકે ભક્તામર ને ઉપદેશ સતિકાને અનુવાદ આપવા ઈચ્છા વર્તે છે. તે સિવાય પરચુર્ણ અસરકારક પડ્યો. અને સમલકી સૂકત રત્નાવલી પણ આપવામાં આવશે. ગદ્ય લેખમાં હિતશિક્ષાના રાસનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38