________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતશિક્ષાના રાસનું રહસ્ય.
મુખ્યત્વે મદદ કરનાર હોય તે આ ચાર કારણોનું સેવન છે. આપણને સુખ પ્રિય છે. સુખ મેળવવાને માટે ગૃહસંસારની અંદર આપણે મહાન પ્રયત્ન છે. તે પછી. વાસ્તવિક-અથાર્થ સુખનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ. મને માન્યું એ સુ. એવી જે આપણે સમજુતી હોય તે તેમાં આપણી ભૂલ થાય છે. જગતની અંદર દુરાચર પ્રાણીઓ તરફ આપણું તીરસ્કાર બુદ્ધિ હોય છે, તેઓ પોતાના મનથી તે પોતાની કૃતિઓને સુખરૂપ માનીને જ કરે છે, તે પછી તેમના તરફ તીરસ્કાર દષ્ટિથી જોવામાં આપણે ભૂલ નથી કરતા ? સાત પ્રકારના વ્યસનનું સેવન કરનાર તે પ્રકારના વ્યસનના સેવનકાળ વખતે પોતાના મનથી શું સુખ નથી માનતા? જે ન માનતા હોય તો તેનું સેવન કરેજ નહિ. માટે “મને માન્યું એ સુખ” આવી આપણી માન્યતામાં થતી ભૂલ સુધારવાને આપણે બંધાયેલા છીએ. જ્ઞાની અને સતું ચારિત્રવાન મહા પુરૂષે સુખની જે વ્યાખ્યા પિતાના અનુભવને અંતે બતાવી ગયા છે તે આપણે સમજવી જોઈએ, એ સમજવામાં જેટલી આપણે ઉપેક્ષા કરીશું તેટલું આપણને પિતાને જ નુકશાન છે. સુખનું ખરું સ્વરૂપ સમજવામાં ઉપર જણાવેલાં મુખ્ય ચાર કારણેનું સેવન એ આપણને મદદ કતા છે.
જગતના વ્યવહારમાં પણ જેઓ સત્ ચારિત્રવાનની ગણત્રીમાં ગણાય છે, વર્તમાનમાં જેઓ દેશના મહાન નરેની કટિમાં મૂકાયેલા છે તેઓના ચરિના અભ્યાસથી જણાઈ આવે છે કે ઉપર બતાવેલાં ચાર કારણેમાંનાં બધાં વા થોડાં ઘણાં કારણેનું સેવન તેમનામાં હોય છે. કારણેના સેવનના ઉદેશમાં જે કે તફાવત હોય છે પરંતુ વ્યવહારિક ઉન્નતિ કરવામાં પણ તે મદદગાર છે એમાં મતભેદને સંભવ નથી.
મતલબ ઉપરના ચાર કારણેનું સેવન સર્વથા આપણું હિતકર્તા છે કે તેના સેવનને આપણું મનુષ્ય જીવનના ઉદ્દેશમાં જગ્યા મળવી જોઈએ.
વકીલ નંદલાલ લલુભાઈ
हितशिक्षाना रासनुं रहस्य.
-
(અનુસંધાન પુ. ૩૪ ના પદ ૩૮૭ થી)
ક્ષરવિધિ, ક્ષારના સંબંધમાં એમ કહેવામાં આવ્યું છે કે-ચોથ, છઠ, આઠમ, રાં ને અમાવાસ્યા એ ચાર તિથિએ અને મંગળ, શનિ ને રવિવારે ક્ષેર ન કરાવવું. સંધ્યાએ કે રાત્રિએ નખ ન ઉતરાવવા. વિદ્યારંભનો ઉત્સવ હોય તે દિવસે શૈર
૧ માથાના વાળ ઉતરાવવા તે (હજામત).
For Private And Personal Use Only