Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંદાજના રાસ ઉપરથી નીકળતો સાર. ૩૩ આવ્યા છે. પણ કોઈએ ત્યાંના પાસાની વાત એમની પાસે કરી હશે અથવા એમનું મોસાળ ત્યાં હશે તેથી એ પાસાને સંભારે છે. મારું હૃદય ભેળું કહેવાથી તે વચનના મર્મને હું સમજી શકી નહીં. વળી મેં એમ પણ વિચાર્યું કે- હવે સાથે જ રહેવાનું છે એટલે એને ખુલાસે પુછી લઈશ, ઉતાવળ શું છે. ત્યાર પછી તેમને જમવા બેસાડ્યા તે વખતે માદક ખાઇ રહ્યા એટલે મેં સુગંધી જળ આપ્યું. તે વખતે તેઓ બોલ્યા કે-ગંગા નદીનું પાણી હોય તે તે મને મધુર લાગે.” એ વચન સાંભળીને પણ વિરમય પામી. કેમકે ગંગાનદી તે પૂર્વ દિશા તરફ વહે છે અને આ તે પશ્ચિમ તરફથી આવ્યા છે છતાં તેને કેમ સંભારે છે? પરંતુ ગંગાનદીના પાણીની જગપ્રસિદ્ધ નિર્મળતા સાંભળેલી હોવાથી સંભારતા હશે એમ ધારી મેં તે વિષે કાંઈ પુછ્યું નહીં. ત્યાર પછી તેમણે કેટલાક આભાનગરીના વખાણ કર્યા. હે તાત! તેમની વાણીમાં એવી અપૂર્વ મિઠાશ હતી કે જેનું હું વર્ણન કરી શકતી નથી. તે તે હંસ જેવા હતા અને આ કુછી તે કાક જેવું છે. હે પિતાજી ! ત્યાર પછી અમે આનંદ કરતા બેઠા હતા તેવામાં ત્યાં હિંસક મંત્રી આવ્યું. તેણે મારા પતિને કાંઈક સમસ્યા કરી. એટલે મારા પતિ વ્યિા. હું પાછળ ચાલી, એટલે દુષ્ટ હિંસકે મને રેકી રાખી. હ પણ સસરાનું સ્થાન અને પ્રથમ રાત્રી એટલે શરમાઈને પાછી વળી. તે વખતે મારા પતિ ગયા તે ગયા. મેં બહુ વાર રાહ જોઈ પણ પાછા આવ્યા નહીં. તેવામાં આ કુછો મારા પતિ થતું આવ્યું અને મને પ્રીતિ બતાવવા લાગ્યું. હું તેનાથી દૂર જઈને ઉભી રહી અને એનું વચન મેં માન્યું નહીં. કારણકે હું તરતજ તેને આકૃતિ તેમજ ચાલ અને શબ્દદિવડે ઓળખી ગઈ હતી. જ્યારે મેં તેનું કાંઈ માન્યું નહીં ત્યારે ત્યાં આવેલી તેની ધાવમાતાએ પિકાર કર્યો અને તે બધાએ મળીને સંકેત કરી રાખ્યા પ્રમાણે મને વિષકન્યા કરાવી. હે તાત ! આ બધું હું અક્ષરશ: સત્ય કહું છું. આ કુણી કોઈ બીજી સ્ત્રીને પતિ હશે, મારો પતિ તે આભાધણી છે. સિંહલ રાજાએ આપને ભેળવ્યા છે અને વગર વાંકે મારી ઉપર માટે જુલમ ગુજાર્યો છે. હે પિતાજી ! મારી કહેલી આ હકીકત જે આપને સત્ય લાગે તે સ્વીકારે, નહીં તે પછી આપને એગ્ય લાગે તેમ કરે. કારણકે પુત્રીનું ભાગ્ય તે પિતાને આધીન છે. પુત્ર ને પત્રમાં બહુ ફેર છે. પુત્રી તે “દીકરીને ગાય દોરે ત્યાં જાય.” એ કહેવત પ્રમાણે આપ જે પ્રમાણે ફરમાવે તે પ્રમાણે કરવાને બંધાપેલી છે. પુત્ર તે પ્રતિબંધમાં નથી. પરંતુ આપ તે પુના વચન ઉપર પ્રતિ કરવા લાયક નથી. પછી આપ મારા પર કેપ કરશો તે મારે તે કાંઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36