Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 305
________________ મુમુક્ષુઓએ ઉપર પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવતરફ રુચિ (ઉપાદેય બુદ્ધિ) કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે અને પર્યાયની એકત્ત્વબુદ્ધિ છોડવી યોગ્ય છે. આ જ ધર્મ પામવાની રીત છે, ઉપાય છે. પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ છે અને સ્વભાવ દષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ છે. દ્રવ્યદ્રષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. v સ્વાનુભૂતિની વિધિનો ક્રમ: સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? તેની વિધિનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવનિજ આત્માનો નિર્ણય કરવો દરેક જીવસુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખકોણે પ્રગટ ક્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. જ્ઞાન સ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. આગમનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણયને પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. આ છે ઉપશમ દશા. હવે આત્મ અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગ સ્થિર થવો જોઈએ. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો. એની વિધિ આ પ્રમાણે છે. કે પહેલા સુષ્ટિ વડે પર પદાર્થો ને આત્માથી જુદાં કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346