Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 321
________________ 31 : ‘હું આત્મા છું’ એમ તો ઘણાં કહે છે. પણ આત્માનું સ્વરૂપ શું છે - આત્માનો ભાવ શુ છે ? આત્માનું તત્ત્વ શું છે ? તેની ઓળખાણ વગર આત્માની સાચી શ્રદ્ધા થાય નહિ. જેવા સિદ્ધ ભગવાન છે તેવા કેવળજ્ઞાન સામર્થ્યરૂપ ભાવનો હું ધરનાર છું – એમ ઓળખીને શ્રદ્ધા કરે તો સાચી શ્રદ્ધા થાય. જગતમાં અનંત જીવ- અજીવ પદાર્થો છે. તે દરેક સ્વતંત્ર ‘અર્થ’ છે અને તે દરેક પદાર્થ પોતપોતાના ભાવ સહિત છે તે તેનું તત્ત્વ છે. બધા તત્ત્વોને પૃથક પૃથક સ્વરૂપે જેમ છે તેમ માને તો જ સાચી શ્રદ્ધા થાય. વસ્તુ અને તે વસ્તુનું સ્વરૂપ અભેદ છે તથા ખીજી વસ્તુ અને તેનું સ્વરૂપ આનાથી જુદું છે. એક તત્ત્વથી બીજા તત્ત્વનું કામ થાય એમ માનનારને તત્ત્વાર્થની શ્રદ્ધા નથી. હાથથી લાક્ડી ઉંચી થઈ એમ માને તો તેણે હાથના ભાવને અને લાકડીના ભાવને જુદા જાણ્યા નથી, એટલે તેણે તત્ત્વાર્થને જાણ્યા નથી. તત્ત્વાર્થ શ્રદ્ધાન વગર વ્રત કે શ્રાવકપણું હોતું નથી. અધ્યાત્મદૃષ્ટિની વાતલ્યો કે સાત તત્ત્વોની શ્રદ્ધાની વાત લ્યો, પણ મૂળ વાત તો આ જ આવીને ઉભી રહે છે. જગતમાં અજીવ પદાર્થો અનંત છે, તે દરેક પદાર્થ પોતપોતાના ભિન્ન ભિન્ન ભાવો સહિત છે. તેમ જો ન માને અને એક પદાર્થને લીધે બીજા પદાર્થનો ભાવ થવાનું માને તે તેણે અનંત અજીવ તત્ત્વોને માન્યા નથી. જીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવ પદાર્થ છે, તેની શક્તિ તે તેનું તત્ત્વ છે. અજીવને માને પણ તેની હાલવા-ચાલવાની શક્તિને ન માને, જીવને લીધે તે હાલે ચાલે છે એમ માને તો તેણે અજીવ પદાર્થને માન્યો જ નથી. કેમ કે તેની શક્તિના જ્ઞાન વગર પદાર્થની શ્રદ્ધા થાય નહિ. ન વસ્તુ તે અર્થ અને તેની સ્વભાવિક શક્તિ તે તત્ત્વ; એ રીતે પદાર્થને અને તેના ભાવને ઓળખીને શ્રદ્ધા કરવી તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે અને આવું તત્ત્વાર્થ શ્રદ્વાન તે સમ્યગ્દર્શન છે. અહીં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવે છે. સમ્યગ્દર્શન લક્ષ્ય છે અને જે વડે ઓળખાય તે લક્ષણ છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. એકલું તત્ત્વ કહે તો જેનો ભાવ છે તેની શ્રદ્ધા વિના કાર્યકારી ન થાય. એકલા અર્થ એટલેદ્રવ્ય-ગુણ- પર્યાયનેકહેતોતેનાભાવ વિના કાર્યકારી ન થાય. માટે સ્વભાવ સહિત પઠાર્થનું શ્રદ્ધાન કાર્યકારી છે. અહીં મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે. તેમાં સમ્યગ્દર્શનના લક્ષણની વાત ચાલે છે. સાત તત્ત્વો કેમ કહ્યાં ? બે અથવા અનંત કહેવા હતાં. અહીં For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346