Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 322
________________ ૩૧૩ મોક્ષનું પ્રયોજન છે. જીવ અજીવ મૂળ તત્ત્વ છે, તેનું ભેદજ્ઞાન ન થાય તો મોક્ષનું પ્રયોજન સિદ્ધ થાય નહિ. આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તત્ત્વો જીવની તથા પુદ્ગલની પર્યાયો છે. વિકાર આસ્રવ તે જીવનો ભાવ છે અને કર્મનું આવવું તે જડનો ભાવ છે. બન્ને વાત કરી, પણ અહીં આત્માની પાંચ પર્યાયોનું કામ છે. તેને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય, તેમાં મોક્ષને હિતરૂપ જાણે તો તેનો ઉપાય કરે, જીવો અનેક પ્રકારે મોક્ષનું સ્વરૂપ કહે છે. ભગવાનની સેવા વૈકુંઠ માં કરવી તેને કોઈ મોક્ષ કહે છે પણ તે વાત ખોટી છે. આત્માની પૂર્ણ શુદ્ધ દશા થવી તે મોક્ષ છે, તેને જાણે તો મોક્ષમાર્ગની શ્રદ્ધા થાય. મોક્ષનો ઉપાય કરવા માટે મોક્ષનું શ્રદ્ધાન કરવુ, આત્માની પૂર્ણપરમાનંદદશા પ્રગટ કરવી તે હિત છે, બીજું હિત નથી. જો મોક્ષને હિતરૂપ માનેતો મોક્ષનો ઉપાયકરે. મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શનજ્ઞાન – ચારિત્ર છે. માટે મોક્ષની શ્રદ્ધા કરવી તે પ્રયોજનભૂત છે. હવે મોક્ષનો ઉપાય સંવર-નિર્જરા છે એમ બતાવે છે. વિકારનો અંશ ન થવો અને અંતરમાં શુદ્ધ દશા થવી તે સંવર અને શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. અજ્ઞાની લોકો દેહની ક્રિયાને તથા રાગને સંવર-નિર્જરા માને છે. સામાયિક કરીને બેસી જવું તે સંવર-નિર્જરા નથી,આત્મા શુદ્ધ સ્વરૂપી છે એવા જ્ઞાનપૂર્વક અંતરમાં લીનતા કરવી તે સંવર-નિર્જરા છે. સંવરનિર્જરાને ઓળખે તો તે રૂપ પ્રવૃત્તિ કરે. માટે સંવર-નિર્જરાની શ્રદ્ધા કરવી યોગ્ય છે. વળી સંવર-નિર્જરામાં પુણ્ય-પાપરૂપી આસવોને વિકારમાં અટકવારૂપ બંધનો અભાવ થાય છે. માટે જેનો અભાવ કરવો છે તેને ઓળખે. ક્રોધનો અભાવ કરતાં ક્ષમા થાય, તે પ્રમાણે પુણ્ય-પાપ ના પરિણામોનો અભાવ કરે તો સંવર થાય. પણ આસવને સંવર માને તો આસવનો અભાવ થાય નહિ. વળી બંધનો એક દેરા અભાવ થવો તે નિર્જરા છે અને બંધનો સર્વથા અભાવતે મોક્ષ છે. પુણ્ય- પાપ આસ્રવ છે અને તેમાં અટકવું તે બંધ છે, તે જાણે તો તેનો અભાવ કરી સંવર- નિર્જરારૂપ પ્રવર્તે. આ પ્રમાણે પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં મોક્ષમાર્ગ થાય છે. આમાં દેવ-ગુરુની ઓળખાણ આવી જાય છે. એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય એને ઓળખે એટલે પાંચને ઓળખે તો તે મોક્ષને ઓળખે. અહીં પ્રથમ મોક્ષ બતાવ્યો, મોક્ષનો ઉપાય સંવર-નિર્જરાકહ્યો, તે સંવર નિર્જરા આસ્રવ- બંધના અભાવ વિના થાય નહિ. આ પ્રમાણે પાંચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346