Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 336
________________ ܪ ܐ માટે અતીન્દ્રિય જ્ઞાન તેમજ અનંતાનુબંધી કષાયના અભાવરૂપ અપૂર્વ શાંતિ, સભ્યશ્રદ્ધા વગેરે ઈન્દ્રિયાતીત શુદ્ધ ભાવો ધર્મોની પર્યાયમાં સદાય વર્તતા જ હોય છે; અને એ ભાવો વડે જ ધર્મી જીવની સાચી ઓળખાણ થાય છે. હે જીવો ! આ જીવ તત્ત્વ પોતે સ્વતંત્ર સત્ છે; તે અનાદિ અનંત પોતાના ઉત્પાદ – વ્યય – ધ્રુવ સ્વરૂપમાં વર્તનારું છે; જ્ઞાન અને આનંઠ તેનો મુખ્ય સ્વભાવ છે કે જે જીવ સિવાય બીજે ક્યાંય નથી. દરેક આત્મા પોતાના સ્વકીય અસંખ્ય પ્રદેશોમાં રહીને પ્રત્યેક સમયને જાણે છે અને પરિણમે છે તેથી તે‘સમય’ છે. તે જ્ઞાન અને પરિણમન સ્વરૂપ આત્મા સ્વ- પરનું ભેઠજ્ઞાન કરીને જયારે પરથી વિભક્ત પોતાના જ્ઞાન સ્વરૂપને જાણે છે અને તેમાં જ એકત્ત્વરૂપ પરિણમે છે ત્યારે તે ‘સ્વ સમય’ છે, તે સુંદર છે, તે જ શુદ્ધ છે અને સુખી છે. પણ આત્મા જ્યાં સુધી પોતાના જ્ઞાન સ્વરૂપને ભૂલીને પરને જાણતાં પર સાથે કે રાગાદિ સાથે એકત્ત્તરૂપે પરિણમે છે ત્યાં સુધી તે ‘પર સમય’ છે, તેમાં વિખવાદ છે, અશુદ્ધતા છે ને દુઃખ છે. માટે હે જીવો ! તમે જ્ઞાન અને રાગનું ભેઠ જ્ઞાન કરીને રાગ વગરના શુદ્ધ સમ્યગ્દર્શન- જ્ઞાન – ચારિત્રરૂપમોક્ષમાર્ગમાંજ અત્યારે દ્દઢ પણે પરિણમાવો. મોક્ષનો આ જ ઉપાય છે. મોક્ષ માર્ગ શુદ્ધ સ્વ દ્રવ્યમાં જ સમાય છે. રાગનો કોઈ અંશ તેમાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ભાવે પરિણમેલો આત્મા પોતે જ મોક્ષ કારણ છે અને પોતે જ મોક્ષરૂપ છે. આ રીતે ‘શુદ્ધાઝ્મા’ જ સાધ્ય છે. તેના જ ઉપયોગને એકાગ્ર કરીને ઠરો, સુખી થશો. સમ્યદર્શન : (૧૦ નિમિત્ત) વિપરીતાભિનિવેશરહિત જીવાદિ તત્ત્વાર્ય શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. વાસ્તવિક તો એક પ્રકારે જ છે. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ શ્રદ્ધવું તે સમ્યગ્દર્શન છે. તેનાબે પ્રકાર છે. ૧. અધિગમજ-બાહ્ય નિમિત્ત વડે પ્રાપ્ત થાય. ૨. નિસર્ગજ – બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય. સમ્યક્ત્ શ્રદ્ધાન દરા પ્રકારે (નિમિત્તથી) પણ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346