SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓએ ઉપર પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવતરફ રુચિ (ઉપાદેય બુદ્ધિ) કરીને ત્યાં જ એકતા કરવી યોગ્ય છે અને પર્યાયની એકત્ત્વબુદ્ધિ છોડવી યોગ્ય છે. આ જ ધર્મ પામવાની રીત છે, ઉપાય છે. પર્યાય બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ છે અને સ્વભાવ દષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ છે. દ્રવ્યદ્રષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. v સ્વાનુભૂતિની વિધિનો ક્રમ: સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? તેની વિધિનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવનિજ આત્માનો નિર્ણય કરવો દરેક જીવસુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખકોણે પ્રગટ ક્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. જ્ઞાન સ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે. આગમનું અવલંબન કરી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણયને પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથીયું. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. આ છે ઉપશમ દશા. હવે આત્મ અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગ સ્થિર થવો જોઈએ. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો. એની વિધિ આ પ્રમાણે છે. કે પહેલા સુષ્ટિ વડે પર પદાર્થો ને આત્માથી જુદાં કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy