SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ • * પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું. ★ પછી તેજશ-કાર્યણરૂપ શરીરને આત્માથી જુદો ગણવો. અંદરમાં આઠ કર્મજનિત રાગાદિ ઉપાધિ ભાવોને પણ જુઠાં ગણવા. છેવટે ભેદ વિજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુઠા ગણવો. આ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્યપ્રભુ અખંડ રૂપ બિરાજે છે, સ્વસન્મુખ થઈ અંતરમાં દૃષ્ટિ કરવી. * ⭑ ⭑ ★ ⭑ * ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન, જ્ઞાનાનંદ સ્વરૂપ, અનંત શક્તિઓનો પિંડ છે એવો મહિમા લાવીને સન્મુખ રહેવું. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ થાય તો તેની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. એનો અનુભવ થાય જ. આ નિજ પઢને સાધવાની વિધિ છે. આ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ છે. આ જ સમ્યક્દશા છે. જ્ઞાનાનંદ આત્માનો સ્વાદ અનુભવમાં વેઠનમાં આવે જ. સ્વાનુભૂતિની આ જ વિધિ છે. – સમક્તિનું બીજ : 3 ⭑ તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ર થવું. મગ્ન થતાં થતાં તેમાં લીન થઈ જવું. એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે હું જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... એવી લગની લાગે. સમ્યગ્દર્શનના અભિલાષી જીવોએ સમ્યક્ત્ત્વનું બીજભૂત કારણ શું હોઈ શકે ? તે અવશ્ય વિચારવું ઘટે છે. આ વિષયમાં ત્રણ મુદ્દા વિચાણીય છે. અનંત કાળથી પરિભ્રમણ કરતા આ જીવને યમ, નિયમ, સંયમ અને શાસ્ત્રાભ્યાસ આદિ અનેક ધર્મ સાધનો કરવા છતાં કેાઈ બીજભૂત ભૂલ રહી જવા પામી છે કે જે કારણને લીધે જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશકરી શક્યો નથી. ઉપરોક્તબીજ ભૂલ કેવી છે ? તે કેવી રીતે મટે ? અને તે મટવાની પરિસ્થિતિ શું હોઈ શકે ? ઉપરોક્ત બીજભૂત ભૂલ મટવાથી જીવના પરિણામ કેવા પ્રકારે વર્તે કે જેથી તે પરિણામો વિકાસ પામીને શુદ્ધાન્ત્ય સ્વરૂપની ઓળખાણ થઈ, પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી નિર્વાણ માર્ગમાં પ્રવેશ કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy