SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. અનંતકાળમાં અનંતવાર અનેક પ્રકારના ધર્મ સાધન કરવા છતાં અતિ દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ નથી એ જ મોક્ષમાર્ગમાં પ્રવેશ ન થવાનું કારણ છે. વિચારવાન જીવે સમ્યકત્ત્વની પ્રાપ્તિ અર્થે તેના અંગભૂત કારણ અને કારણના કારણ સુધી વિચારવું ઘટે છે. જીવની બીજભૂત ભૂલ આ છે. એટલે કેયમ, નિયમ, સંયમ અને શાસ્ત્રજ્ઞાન આદિ અનંતવાર કર્યા છે પરંતુ પુરુષનો નિશ્ચય/ ઓળખાણ થઈ નહિ હોવાને કારણે, તે સર્વસાધન, જ્ઞાની પુરુષની આશાએ થયાનથી; તેથી તે સૌ સાધન બંધનરૂપ થયા છે. અનંતકાળમાં સજીવન મૂર્તિનો યોગ, અનંતવાર થયો છે. પરંતુ ઓળખાણ થઈ નથી. તે ભૂલમટવા માટે જીવે નિરંતર ઉદાસીનતાનો ક્રમસેવવો; સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પરુષોના ચારિત્રોનું સ્મરણ કરવું સપુરુષોના લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસનકરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું- આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવાયોગ્ય, શ્રદ્ધવાયોગ્ય, ફરી ફરી ચિંતવવાયોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને એ પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમેતો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. જીવ સર્વ ઉદય પ્રત્યેથી ઉદાસીન થઈને સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવા વગેરેના ઉપરોક્ત પરિણામોમાં પરિણમે છે અને તેથી કરીને જીવન નિર્વાણ પદના અધિકારી થવાની પાત્રતા સમુત્પન્ન થાય છે. એટલે કે યથાર્થ પ્રકારે તે જીવન દર્શનમોહનો અનુભાગ ઘટીને તે ઉપશમ થવા યોગ્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ સમકિતના કારણનું કારણ “સપુરુષની ઓળખાણ અનેતે ઓળખાણથી પ્રાપ્તવચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ અને સ્વચ્છંદનિરોધપણે પુરુષની ભક્તિ” એ આદિ પરિણામો દર્શાવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy