SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ છતાં, અનાદિકાળથી વર્તમાન સુધીના અનંતકાળમાં એકવાર પણ સત્પુરુષની ઓળખાણ થઈ નથી. તેથી તયારૂપ ઓળખાણ નહિ થવાનાં કારણો વિચારવા ઘટે છે. સત્પુરુષની ઓળખાણ થવામાં ક્યા પ્રકારનાં પ્રતિબંધક ભાવો હોય છે તે સમજી, તેનો અભાવ કરવો ઘટે છે. કારણ કે સત્પુરૂષની ઓળખાણ થવી તે સમ્યક્ત્ત્વના કારણનું બીજ છે. અર્થાત્ સમ્યક્ત્ત્વનું કારણ આત્મસ્વરૂપની ઓળખાણ છે અને તે ઓળખાણ થવાની યોગ્યતા વિદ્યમાન સત્પુરુષની ઓળખાણ સિવાય કદી કોઈને થઈ નથી. કારણ કે આત્મસ્વરૂપ મૂળમાં શક્તિરૂપ તત્ત્વ છે. જ્યારે સત્પુરુષનું સ્વરૂપ જેમાં પ્રગટપણે આત્મસ્વરૂપ વ્યક્તથયું છે. તેથી વ્યક્તની ઓળખાણ થયા વિના અવ્યક્તની ઓળખાણ થાય તે અસંભવ છે. • જ્ઞાની પુરુષની ઓળખાણનહિ થવામાં જીવનાત્રણ મોટાદોષ જાણવાયોગ્ય છે. ⭑ ⭑ કુટુંબ-પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ કરતાં પણ વિશેષ રાગ. લોક ભયને લીધે – અપકિર્દી-અપમાન થવાના ભયને લીધે જ્ઞાની પુરુષ પ્રત્યે ઉપેક્ષા અથવા તેમનાથી વિમુખ રહેવાનું બને અથવા તો તેમના પ્રત્યે જેવું વિનયાવિત થવું જોઈએ તેવું ન થવું. આ ત્રણે નિવૃત કરવા આવશ્યક છે. ♦ તો હવે જ્ઞાનીની ઓળખાણ કેમ થાય ? ‘હું જાણું છું, સમજું છું' એવા પ્રકારનું જે અભિમાન જીવને રહ્યા કરે છે, તેવાં સ્વચ્છંદ ને લીધે જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પરલક્ષીપણું અને અસત્સંગને લીધે આ પ્રકારે વર્તતા જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. ⭑ જ્ઞાની પુરુષની ઓળખાણજીવને ‘દ્ર મુમુક્ષુતા’ આવ્યા પછીથવાનો સંભવ છે. જ્ઞાનદશા અથવા વિતરાગ દશાન્તે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી પરંતુ આત્માનો તે અંતરાત્મ ગુણ છે. અને તેવું અંતરાત્મપણું જગતવાસી જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તેવા પ્રકારનું અનુમાન પણ કરી શકે તેવી તેમની યોગ્યતા નહિ હોવાથી તેઓ જ્ઞાનીને ઓળખી શકતા નથી. પરંતુ કોઈ જીવ જેનું હોનાહાર સારું હોય છે તે સત્તમાગમના યોગથી તેવી યોગ્યતા પામીને જ્ઞાનીને ઓળખે છે. મુમુક્ષુ જીવ અમુક પ્રકારની યોગ્યતાથી ઉત્તમકોટીની મુમુક્ષુતામાં વર્તતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy