SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી તે જ્ઞાનીની વાણીનો આશય સમજી શકે છે; તેમજ જ્ઞાનીની વાણીના વિલક્ષણ પ્રકારના ગુણો-વિશિષ્ટતાઓ-જેમ કે પૂર્વાપર અવિરોધતા, આત્માર્થ ઉપદેશકપણું; અપૂર્વ અર્થનું નિરૂપણ, અનુભવ સહિતપણું; તેમજ આત્માને સતત જાગૃત કરનાર; આદિ અનેક વિશેષતાઓ સમજાય છે. આત્મસ્વરૂપના સભાનપણામાં જ આવો ઉપદેશ ઉપદેશી શકાય છે. તેમાં પણ જ્ઞાની પુરુષના નેત્રોમાં જે વિતરાગતા, અંતર્મુખતા અને નિર્લેપતા આદિ ભાવો મુમુક્ષુ જીવને એ ભૂમિકામાં પ્રાપ્ત જ્ઞાનની નિર્મળતાયી વાંચવા મળે છે. જેથી તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિ ઉત્પન્ન થાય છે. • વાસ્તવિક્તાનો એક અટળ અને સર્વ સામાન્ય મનુષ્યોને અનુભવ ગોચર થાય એવો સિદ્ધાંત એ છે કે પરિણમન જોનારને જે પરિણમન પોતે જુએ છે તેવું પરિણમન સહજ આવિર્ભાવ થાય છે. • જેમકે બીજાના હર્ષ – શોકનાં પરિણામોને જોવાથી જોનારને પણ હર્ષ શોકના ભાવો સહજ આવી જાય છે. અહીં સિદ્ધાંતમાં જ્ઞાની પુરુષના અંતરપરિણમન દ્વારા જ્ઞાનદશાનાં અપૂર્વભાવો, જે અંતરમાં નિજ પરમાત્મા પઠને અલૌકિક પુરુષાર્થથી અવલંબે છે અને જે ભાવોનું સ્વરૂપ સ્વરૂપાકાર હોવાથી જ્ઞાની પુરુષમાં પરમાત્મા તત્ત્વના દર્શન થાય છે; જે જ્ઞાની પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તે બુદ્ધિ મુમુક્ષુ જીવને સર્વ પ્રકારના પ્રતિબંધથી મુક્ત કરે છે. જેથી ક્રમે કરીને તે મુમુક્ષુ, જેના ચરણાવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે અર્થાત્ અવશ્ય જ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે. ૩૦૦ • આ પ્રકારે જ્ઞાની પુરુષની ઓળખાણ એક નિર્વાણ માર્ગનું બીજભૂત પ્રત્યક્ષ કારણ હોવાથી અને તથા પ્રકારની યોગ્યતામાં આવ્યે તે જીવને આત્મસ્વરૂપનું ઓળખાણ અને લક્ષ થવા યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થાય છે કે જેમાં પરમાર્થથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય છે, જેથી નિર્વિકલ્પ પરમાર્થ અનુભવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અલ્પકાળે થાય છે. • જ્યારે મુમુક્ષુ જીવને જ્ઞાની પુરુષની ઓળખાણથાયછે ત્યારે તેની યોગ્યતામાં અનેક પ્રકારે જે ફેરફાર થાય છે. તે નોંધ લેવા યોગ્ય છે. ⭑ ⭑ જ્ઞાની પુરુષની ઓળખાણ થયે જીવને અનંતાનુબંધી કષાય (ક્રોધમાન-માયા-લોભ) મોળાં પડવાની (અનુભાગ ઘટવાનો) પ્રકાર બનવા યોગ્ય છે. એવા મુમુક્ષુ જીવને મતાગ્રહ, દુરાગ્રહ આદિ ભાવ પણ છૂટી જાય છે અથવા મોળાં પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy