Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપધાત. પ્રમાણે પરંપરાથી ચાલતા આવેલા અનુભવમાં વધારો થતાં થતાં વૈદ્યવિદ્યા એક વખત સંપૂર્ણપણાને પામી ગઈ હતી. આપણું જૂના વૈધકના ગ્રંથ જોતાં આપણને જણાય છે કે જે અનુભવ આપણા પ્રાચીન આર્યોએ મેળવેલું છે તે ઘણે છે. એમ છતાં પણ તેમાં સુધારા વધારાને અવકાશ નથી એમ કહેવાની અમારી મતલબ નથી. હજી તેમાં ઘણો સુધારે વધારે થઈ શકે એમ છે, પરંતુ જેટલો અનુભવ તેમણે મેળવી મૂક્યો છે તે પ્રથમ જાણ ગયા પછી જ તેમાં જે કાંઈ સુધારો વધારે થાય તે થઈ શકે; આ કારણથી વૈવિધાના પ્રાચીન ગ્રંથોને શોધ કરી તેને અભ્યાસ કરવાની સર્વને અગત્ય છે. વૈવિધાના ગ્રંથ માત્ર વૈદ્યોનેજ કામના છે એટલું જ નહી, પણ તે સર્વને અવકન કરવા જેવા છે. કહેવત છે કે “પ્રક્ષાના પાય દુવિનંતY —“ કાદવમાં પગ બળીને પછી ધોઈ નાખવા કરતાં તેમાં પગ નજ બળવો એ સૌથી સારું છે.” તેમ વૈદ્યક શાસ્ત્રના અજ્ઞાનથી રોગ થવા દેવું અને પછી તેને દૂર કરવાના ઉપાય કરવા તે કરતાં રોગ ઉત્પન્ન થવા ન દેવ એજ શ્રેષ્ઠતર વાત છે. પણ વૈધક શાસ્ત્રના ગ્રંથોનું સામાન્ય અવકન પણ વિના આ રેગના કારણે ( હેતુઓ) જાણવામાં આવતાં નથી, તે પછી થનારા રોગથી દૂર તો શી રીતે રહેવાય? કેટલાકનું કહેવું એમ છે કે, વૈદક શાસ્ત્ર જેવા ગહન વિષયને ગુરૂ પાસેથી બરાબર અભ્યાસ કર્યાવિના શુંઠને ગાંગ; મળે ગાંધી થઈ બેસવા જેવું કેટલાક કરે છે – વૈધકના ભાષાંતરને ગ્રંથ હાથમાં લેઈ તેટલા વડેજ વૈદ્ય થઈ જીવના જોખમવાળો વૈધકનો ધંધે ચલાવવા મંડી પડે છે એ કેવળ હસવાજેવું અને ધિકારવા જેવું કામ છે. આ વાત અમારે પણ સર્વથા માન્ય છે. વિધેકના ગ્રંથેનાં ભાષાંતરે બહાર પાડનારને કાંઈ એવો હેતુ હેત નથી કે તે વાંચીને દરેક માણસે વૈધ થઈ પડવું. તેમના હેતુ નિરાળા હોય છે, અને તેને મને આ પણ એક હેતુ છે કે સાધારણ માણસ રોગાદિના હેતુ જાણીને રોગની ઉત્પત્તિથી દૂર રહી શકે. માણસ આહાર વિહારના નિયમો જાણે તથા રાક વગેરેના ગુણ અવગુણ જાણે તે બેડ ઘણે દરજજે તે પિતાનું અને પિતાના કુટુંબનું હિત કરી શકે. વળી કેટલાક સામાન્ય રોગો ઉપર એવા ઉપચાર હોય છે કે, વૈધની સલાહ લીધા વિના પણ તે ઉપચાર જે વખતસર લાગુ કરવામાં આવે તે તેથી મનુષ્યને તે રોગ મટી જાય છે અથવા તેમાંથી બીજે ભયંકર . રેગ થતાં અટકે છે. કેટલીક વાર મનુષ્ય એવી જગાએ પડેલા હેય છે કે જ્યાં તેમને કઈ સારા વૈદ્યની સલાહ લેવાનું બની આવતું નથી; એવે પ્રસંગે તેમણે મેળવી રાખેલું સાધારણ જ્ઞાન બહુ ઉપયોગી થાય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 890