Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 302
________________ ૨૯૦ ] ગુજરાતને ઇતિહાસ એની જ રાહ જોતું હતું. તેણે ચાલાકીથી પાછળ રહેલી ફેજ લઈ ઘેરી લીધા અને એ સખત હુમલો કર્યો કે રજપૂતો હડી શક્યા નહિ અને ગેરીઓની જીત થઈ - ૩. જો કે સોલંકી ખાનદાન નબળું અને કમજોર થઈ ગયું હતું, પરંતુ વાધેલા ખાનદાન ચડતી અને ઉન્નતિના શિખર પર હતું, અને સલ્તનતમાં તેની જ ડખલ વધારે હતી. અર્ણોરાજ વાઘેલા, લવણપ્રસાદ વાઘેલા અને તેના પુત્ર વિરધવળ જેવા ચાલાક લેના હાથમાં રાજ્યની લગામ હતી. એ ખાનદાન ઉન્નતિ કરતું જતું હતું, તેથી એક જીવતી જાગતી બહાદુર કેમ હવાના કારણે બળવાન રજપૂતની ટુકડી તેની આસપાસ જમા થઈ હતી. અને તેમની જ બહાદુરીને નતીજે ફતેહના રૂપમાં પ્રકટ થયો. ૪. ગઝનવીના વખતોવખતના હુમલાએ હિંદુ રાજાઓને હોશિયાર કર્યા હતા, તેથી શિહાબુદ્દીન ગોરીનું આવવું મહમૂદ ગઝનવીની જેમ અચાનક ન હતું. ગુજરાતીઓને તેની ખબર મળી ગઈ હતી અને તૈયારી કરવાનો મોક્કો મળી ગયો હતો. ત્યારપછી જે ફેજ ગોરી સાથે લડી તેમાં નવા સિપાઈઓની જમાવટ ન હતી, પરંતુ એ બહાદુર અનુભવી રજપૂતોની એક ઘડાયેલી જ હતી. ૫. એક મોટી વાત તો એ છે કે એ સમય પર્યત ગોરીઓને પહાડી જંગમાં રોકાવું પડતું હતું, અને તેને જ તેમને અનુભવ હતો. મેદાની જંગમાં ઊતરવાને તેમને કદી સંજોગ સાંપડયો ન હતે. એ જાણે કે, પહેલી જ મેદાની લડાઈ હતી જે તેમને લડવી પડી. બેશક સિંધમાં તેમણે મેદાનમાં જ જંગ ખેલ્યો હતો, પરંતુ ત્યાં તેમને ગઝનવી ખાનદાનની નબળાઈનો લાભ લઈ બળવો કરનાર ઈસ્માઈલીઓને જ મુકાબલો કરવાનો હતો. તે ઉપરાંત મહમૂદ ગઝનવીએ કર્યું હતું તેમ ન કરતાં તેણે આવવાને રસ્તો કચ્છના રણમાં થઈને પસંદ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે જે વખતે એ જ ગુજરાત પહોંચી ત્યારે કંટાળીને થાકી ગઈ હતી અને તેને દમ

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332