Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai Publisher: Mohanlal Dalichand Desai View full book textPage 8
________________ પ્રત્યક્ષ કે ત્યાં લઈ જ સુવણે કરાવ્યાં ચાર કર્યો. કે, જ્યાં સુધી તે બિંબને બદલે રત્નનું બિંબ ના સ્થાપે, ત્યાં સુધી જલ અન્ન લઈશ નહિ. સર્વ ચીજ તક ઉપવાસ કરી , તપ કરવા માંડયું, અને સાઠ ઉપવાસ થયા કે અંબાજી માતા પ્રત્યક્ષ થયાં. તેણે રત્ન શ્રાવકને જ્યાં કંચનબલાનક નામને પ્રાસાદ હતું ત્યાં લઈ જઈ નેમિનાથના સમયમાં જ શ્રીકૃષ્ણ વિનિર્મિત પ્રધાન બિબ તથા સુવર્ણ, રત્ન, રૂપું, મણિ એમ દરેકનાં અઢાર મળી ૭૨ બિંબનાં દર્શન કરાવ્યાં. તેમાંથી કઈ પણ લેવા માટે કહ્યું. તે તે રત્નનું બિંબ લેવા વિચાર કર્યો. ત્યારે અંબાદેવીએ કહ્યું કે, આગળ કલિયુગ આવે છે, અને તે વખતના અતિ લોભી લેકે થતાં પ્રતિમાનું વિપરીત થાય, તેથી પાષાણ બિંબ છે તે સારૂં. હવે તે બિંબ કેમ લઈ જવું? ત્યારે અંબાદેવીએ કહ્યું કે, કાચે તાંતણે વીંટી ચલાવશે તે એની મેળે ચાલી આવશે; પણ તેમ કરતાં પાછું ન જેવું, અને જોયું તે તરતજ તેજ સ્થાનકે થંભી થશે. આથી શ્યામ પાષાણનું બિંબ લીધું, અને તે વિસ્મયકારક રીતે એમને એમ ચાલતાં ચાલતાં, આવે છે કે નહિ એમ વિમાસતાં રત્ન પાછું જોયું કે તુરતજ ત્યાં બિંબ સ્થિર થયું. ત્યાં પ્રાસાદ કરાવી, તેમાં તે બિંબને પ્રતિષ્ઠિત કર્યું. આજ લગી તે સ્થળે તે બિંબ પૂજાય છે. સંઘ પાછું વળી શત્રુંજય આવી ઋષભ જિનેશ્વરને વાંકી પછી સ્વસ્થાનકે ગયે. રત્ન શ્રાવકે અનેક દ્રવ્ય ખચી સુકૃત કર્યું. આ પ્રમાણે હકીકત જીર્ણ પ્રબંધમાં જણાવેલી છે. આ કંચનબેલાનક પ્રાસાદ તથા રત્ન શ્રાવકે સ્થાપિત કરેલ બિંબના સંબંધમાં ગિરિનાર ક૫માં આ પ્રમાણે હકીકત છે:-- ગિરિના મધ્યમાં ઇ વાવડે વિવર કરીને (પલો ભાગ કરીને) કાંચનબલાનકમય રજત ચૈત્ય બનાવ્યું. તે ચિત્યના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60