Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 13
________________ “સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભાર-સંભારે, આપણ—આપણે, પિહિરિનઈ-પેહરીને, પુરૂષનઈ-પુરૂષને, એહવઈ–એહવે; વડઉ–વડે, બીજઉ-બીજો, સાંભલ-સાંભલે, પશુપિચે, કાસમીર તે કાશ્મીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાસમીર જ રાખેલ છે, કેસ (દેશ), સેઠિ (શેઠ)-શેઠે; સુણ સુણજે, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય જ્યાં બહુ અ-- શુદ્ધતા હોય ત્યાં શુદ્ધતા કરી જોડણી કે પ્રતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કૃતિ સત્તરમા સૈકાની જ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી સંશોધન કાર્યમાં ઘણે અનુકુળતા આવી છે. કડીઓ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી પ્રતે. કે--આમાં પ્રથમ ૩ નમઃ સિદ્ધિ એમ લખ્યું છે, અને છેવટે જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનારિ તીર્થોદ્ધાર મહિમા પ્રબંધ સંપૂર્ણ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ ૨ બુધે લષતા શ્રી શ્રી શ્રીઃ ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણું જીણું પાના પર છે પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરશઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે પ. શ્રી કમલવદ્ધન ગણિ ગુરૂભ્ય નમઃ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પરથી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવદ્ધનગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિક્રમ સદીના અંતમાં લખાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60