________________
“સ” વપરાતે તે બનતાં સુધી કાયમ રાખેલ છે જ ને બદલે ય લખાતે ત્યાં જ વાપરેલ છે. દાખલા તરીકે સંભાર-સંભારે, આપણ—આપણે, પિહિરિનઈ-પેહરીને, પુરૂષનઈ-પુરૂષને, એહવઈ–એહવે; વડઉ–વડે, બીજઉ-બીજો, સાંભલ-સાંભલે, પશુપિચે, કાસમીર તે કાશ્મીરને બદલે હવે જોઈએ—પણ અત્ર કાસમીર જ રાખેલ છે, કેસ (દેશ), સેઠિ (શેઠ)-શેઠે; સુણ સુણજે, યવ-જવ, યમ-જમ; બાકી તે સિવાય જ્યાં બહુ અ-- શુદ્ધતા હોય ત્યાં શુદ્ધતા કરી જોડણી કે પ્રતની જ મૂકી છે કે જેથી સંવત સત્તરમા સૈકાની ગુજરાતી ભાષાને પરિચય થાય. કૃતિ સત્તરમા સૈકાની જ છે અને તેજ સૈકામાં લખાયેલી પ્રત મળી છે, એ ઘટનાથી સંશોધન કાર્યમાં ઘણે અનુકુળતા આવી છે. કડીઓ પણ તેના પ્રમાણે મૂકી છે. મળેલી પ્રતે. કે--આમાં પ્રથમ ૩ નમઃ સિદ્ધિ એમ લખ્યું છે, અને છેવટે
જણાવ્યું છે કે “ઇતિ શ્રી ગિરિનારિ તીર્થોદ્ધાર મહિમા પ્રબંધ સંપૂર્ણ શ્રી સંવત ૧૬૭ વર્ષે માગસર વદિ
૨ બુધે લષતા શ્રી શ્રી શ્રીઃ ખ--આમાં પહેલું પાનું નથી. તે ઘણું જીણું પાના પર છે
પણ તેમાં લખ્યા સંવત છેવટે મૂકેલ નથી. ક ની સાથે
સરખાવતાં તે ખ પ્રત ક ની આબાદ અક્ષરશઃ નકલ છે. ગ–આ પ્રતમાં પહેલાં પ્રથમ એ શબ્દ મૂક્યા છે કે પ.
શ્રી કમલવદ્ધન ગણિ ગુરૂભ્ય નમઃ છેવટે લખ્યા સંવત કે લેખકનું નામ જણાવેલ નથી. આ પરથી એ સિદ્ધ થાય છે કે લેખક કમલવદ્ધનગણીને શિષ્ય થાય છે. પાનાં જોતાં તે ૧૯ મી વિક્રમ સદીના અંતમાં લખાયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org