________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ પ્રશ્ન:- જે વ્યવહાર રત્નત્રય છે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તો ઉપચારથી તેને મોક્ષમાર્ગ કેમ કહ્યો?
ઉત્તર:- કેમકે નિશ્ચય સાથે તે ભૂમિકામાં તેવો જ વ્યવહાર નિમિત્તપણે હોય છે, વિપરીત નથી હોતો, એમ તે ભૂમિકાનું જ્ઞાન કરાવવા તેમાં મોક્ષમાર્ગનો ઉપચાર છે. જેમ બિલાડીમાં વાઘનો ઉપચાર તે એમ સૂચવે છે કે બિલાડી પોતે ખરેખરો વાઘ નથી, ખરો વાઘ એનાથી બીજો છે; તેમ વ્યવહારમાં મોક્ષમાર્ગનો ઉપચાર તે એમ સૂચવે છે કે વ્યવહાર પોતે ખરેખરો મોક્ષમાર્ગ નથી, ખરો મોક્ષમાર્ગ એનાથી બીજો છે. “જ્ઞાન તે આત્મા” એટલા ગુણગુણીભેદના વિકલ્પરૂપ વ્યવહાર પણ મોક્ષનું સાધન થઈ શકતો નથી, ત્યાં બીજા સ્થૂળ રાગની શી વાત?
* મોક્ષમાર્ગ બે નથી, એક જ છે; તેમ* મોક્ષમાર્ગમાં જે સમ્યગ્દર્શન છે તે બે નથી, એક
જ છે; * મોક્ષમાર્ગમાં જે સમ્યજ્ઞાન છે તે બે નથી, એક
જ છે; * મોક્ષમાર્ગમાં જે સમ્યક્રચારિત્ર છે તે બે નથી,
એક જ છે. પછી ભલે તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ પડે, સમ્યજ્ઞાનના પાંચ ભેદ પડ ને સમ્મચારિત્રના પાંચ ભેદ પડે, પણ તે બધાયમાં સ્વદ્રવ્યાશ્રયનો પ્રકાર એક જ છે; તે દર્શન-જ્ઞાન-ચારિત્રનો કોઈ પણ પ્રકાર પરદ્રવ્યને આશ્રિત નથી, કે તેમાં ક્યાંય રાગ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com