Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 258
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] [ ૨૪૩ ૬૪૨. નવતત્ત્વને જાણે, પણ શુદ્ધાત્માને ન ઓળખે તો? –તો તેને સમ્યગ્દર્શન ન થાય; ને તેનું નવતત્ત્વનું જ્ઞાન પણ સાચું ન કહેવાય. ૬૪૩. વીતરાગ ભગવંતો ક્યા માર્ગે મોક્ષમાં ચાલ્યા? અંતર્મુખી શુદ્ધ રત્નત્રયના માર્ગે તેઓ મોક્ષમાં ગયા. ૬૪૪. જીવને બહિરાત્મદશામાં શું હતું ? બહિરાત્માદશામાં તે એકાંત દુ:ખી હતો. ૬૪૫. હવે અંતરાત્મા થતાં શું થયું? આત્માનું સાચું સુખ અનુભવમાં આવ્યું. ૬૪૬. રાગાદિ ભાવો કેવા છે? તેઓ અંતરસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા નથી. ૬૪૭. અંતર્સ્વભાવના આશ્રયે શું ઉત્પન્ન થાય ? વીતરાગી જ્ઞાન-આનંદરૂપ શુદ્ધ ભાવો પ્રગટે. ૬૪૮. આપણે પરમાત્માને ઓળખી શકીએ ? હા, અંતરાત્મા થઈને પરમાત્માને ઓળખી શકાય છે. ૬૪૯. જડ-શરીરમાં જીવનો કોઈ ધર્મ હોય ? –ના. ૬૫૦. બી. એ. એમ. એ. ભણે, પણ આત્માને ન ઓળખે તો ? -તો વીતરાગી આત્મવિઘામાં તે મુરખ છે. ૬૫૧. આત્માના હિત માટે કેવી વિદ્યા શીખવી? જીવ-અજીવના ભેદજ્ઞાનરૂપ વીતરાગ-વિદ્યા શીખવી. ૬૫૨. અંતરાત્માનું લક્ષણ શું? –જ્ઞાનચેતનાની અનુભૂતિ. ૬૫૩. જ્ઞાનચેતનાવંત અંતરાત્માને ખરેખર કોણ ઓળખી શકે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272