________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
-ભા.
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ રૂપે પરિણમેલા આત્મા તે પરમાત્મા છે. એવા પરમાત્મા અત્યારે આ ભરતક્ષેત્રમાં થતા નથી, પણ વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાન વગેરે લાખો જીવો એવા પરમાત્માપણે અત્યારે પણ સાક્ષાત્ વિચરે છે. અહીં રહીને પણ એવા સર્વજ્ઞ–પરમાત્માની ઓળખાણ થઈ શકે છે. સર્વજ્ઞપદની જેને શ્રદ્ધા નથી તે તો બહિરાત્મા છે ને ગૃહીતમિથ્યાદષ્ટિ છે.
નો નો તેવી વીતરાને સો સો દાસી વીરા રે” એમ નક્કી કરવામાં પણ સર્વજ્ઞપદનો સ્વીકાર આવી જાય છે. સર્વજ્ઞની ઓળખાણ વગર કોઈ એવી વાત કરે તો તે સાચી નથી.
અહ, જેને આત્માનું સંપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ સુખ છે, અને રાગનો સંપૂર્ણ અભાવ છે–એવી ઉત્કૃષ્ટ પર્યાયવાળા સર્વજ્ઞભગવાન છે-એનો સ્વીકાર સમ્યગ્દષ્ટિ જ કરે છે; બાહ્યદૃષ્ટિવાળા જીવને (રાગદષ્ટિવાળા જીવને) પરમાત્મા કેવા હોય તેની ખબર નથી. સર્વજ્ઞનો સ્વીકાર એ તો અપૂર્વ તત્ત્વજ્ઞાન છે, તે તો ધર્મનો મૂળ પાયો છે. સર્વજ્ઞતા કહો કે આત્માનો જ્ઞાનસ્વભાવ કહો, તેની ઓળખાણ વગર ધર્મની શરૂઆત થતી નથી.
સાતતત્ત્વમાંથી એક જીવ તત્ત્વને બરાબર જાણતાં તેની પર્યાયના આ બધા પ્રકારો તેમાં સમાઈ જાય છે.
સર્વજ્ઞ” એટલે એક સમયમાં બધાને અતીન્દ્રિયજ્ઞાનવડે પ્રત્યક્ષ જાણનારા, અને છતાં જેને રાગ-દ્વેષ નથી, કોઈ સંકલ્પ-વિકલ્પ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com