________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૦૫ નિર્મોહભાવરૂપ ધર્મ, –એમ બધા વીતરાગીધર્મો ખીલે છે. માટે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર જીવ જે કાંઈ કરે તે ધર્મ નથી પણ દુઃખ છે.
સમ્યગ્દર્શન વગર ધ્યાન કોનું કરશે? જેમાં એકાગ્ર થઈને ધ્યાન કરવાનું છે તે વસ્તુ તો પ્રતીતમાં આવી નથી. એ જ રીતે, સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર; પણ જે સ્વરૂપમાં ચરવાનું છે તે સ્વરૂપને ઓળખ્યા વગર ચારિત્ર કેવું? વીતરાગતા કરવા માંગે, પણ રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવ વગર વીતરાગતા કરશે કઈ રીતે? રાગમાં જ ઊભો રહીને કદી વીતરાગતા થઈ શકે નહીં. આ રીતે સમ્યગ્દર્શન અને સ્વાનુભવ વગર જીવને કોઈ પ્રકારનો ધર્મ કે મોક્ષમાર્ગ થાય નહીં. જેમ મૂળ વગર ધર્મ થતું નથી. તેમ સમ્યગ્દર્શન વગર ધર્મ થતો નથી. ભાન વગર ધર્મ માની ત્યે તેમાં ઝાડ તો મૂઢતા પોષાય છે. એવા જીવોની શુભક્રિયાઓ પણ કષ્ટરૂપ જ છે. પોતે પોતાને જ જ્યાં જાણ્યો નથી, અરે! જાણવાની દરકાર પણ નથી, ત્યાં ધર્મ કેવો? ને સુખ કેવું?
એકેક આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, તેને જાણે નહિ, ને બીજા પરમાત્માએ આ આત્માને બનાવ્યો એમ માને, અથવા તો આ આત્મા બીજા કોઈ પરમાત્માનો એક અંશ છે એમ માને, (એટલે કે આ આત્મા પોતે આખો સ્વતંત્ર પરમાત્મા છે એમ ન માને) તે બધા મિથ્યાદષ્ટિ છે, તેમણે નથી આત્માનું સ્વરૂપ જાણું, કે નથી પરમાત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com