________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] પણ સમ્યક્ત્વનો દોષ નથી.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શો વાંધો ?
[ ૧૮૩
ઉત્તર:- ભાઈ, એ તારો સ્વચ્છંદ છે. સમ્યગ્દષ્ટિને જોતાં તને આવડતું નથી; આત્માના સુખની તને ખબર નથી ને રાગ તારી બુદ્ધિ પડી છે એટલે તું રાગને અને વિષયોને જ દેખે છે, પણ સમ્યગ્દષ્ટિને રાગાતીતવિષયાતીત-અતીન્દ્રિય જ્ઞાનચેતના વર્તી રહી છે તેને તો તું દેખતો નથી. એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી, જુદી ને જુદી જ રહે છે; ને એવી ચેતનાને લીધે જ તે સમ્યગ્દષ્ટિ પ્રશંસનીય છે. જ્યારે તારામાં તો જ્ઞાનચેતના છે જ નહીં, રાગમાં જ તું તો એકાકાર છો. છતાં ‘અમને શો વાંધો !' એમ કહે છે તે તારો સ્વચ્છંદ છે.
એક જ ઘરમાં બે પુત્રો હોય, બંને સરખા ભોગોપભોગ ભોગવતા હોય, પણ તે વખતે એકને અનંતો બંધ થાય છે, બીજાને અલ્પ! તેનું કારણ ? અંદર દૃષ્ટિના ફેરે મોટો ફેર પડે છે.
અરે, સમ્યગ્દષ્ટિ તો પરમાત્માનો પુત્ર થઈ ગયો, પરમાત્માના ખોળે બેઠો, હવે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે; મોક્ષમહેલની સીડી ઉપર ચડવાનું તેણે શરૂ કરી દીધું છે. (મોક્ષમની પરથમ સીઢી...) એમ ૧૭ મા પદમાં કહેશે.)
અહો, આવા પવિત્ર સમ્યગ્દર્શનને બહુમાનથી ધારણ
Please inform us of any errors on [email protected]