SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીતરાગવિજ્ઞાન ભાગ-૩] પણ સમ્યક્ત્વનો દોષ નથી. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને બાહ્ય વિષયો હોય છે તો પછી અમને શો વાંધો ? [ ૧૮૩ ઉત્તર:- ભાઈ, એ તારો સ્વચ્છંદ છે. સમ્યગ્દષ્ટિને જોતાં તને આવડતું નથી; આત્માના સુખની તને ખબર નથી ને રાગ તારી બુદ્ધિ પડી છે એટલે તું રાગને અને વિષયોને જ દેખે છે, પણ સમ્યગ્દષ્ટિને રાગાતીતવિષયાતીત-અતીન્દ્રિય જ્ઞાનચેતના વર્તી રહી છે તેને તો તું દેખતો નથી. એ ચેતના વિષયોને કે રાગને અડતી જ નથી, જુદી ને જુદી જ રહે છે; ને એવી ચેતનાને લીધે જ તે સમ્યગ્દષ્ટિ પ્રશંસનીય છે. જ્યારે તારામાં તો જ્ઞાનચેતના છે જ નહીં, રાગમાં જ તું તો એકાકાર છો. છતાં ‘અમને શો વાંધો !' એમ કહે છે તે તારો સ્વચ્છંદ છે. એક જ ઘરમાં બે પુત્રો હોય, બંને સરખા ભોગોપભોગ ભોગવતા હોય, પણ તે વખતે એકને અનંતો બંધ થાય છે, બીજાને અલ્પ! તેનું કારણ ? અંદર દૃષ્ટિના ફેરે મોટો ફેર પડે છે. અરે, સમ્યગ્દષ્ટિ તો પરમાત્માનો પુત્ર થઈ ગયો, પરમાત્માના ખોળે બેઠો, હવે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે; મોક્ષમહેલની સીડી ઉપર ચડવાનું તેણે શરૂ કરી દીધું છે. (મોક્ષમની પરથમ સીઢી...) એમ ૧૭ મા પદમાં કહેશે.) અહો, આવા પવિત્ર સમ્યગ્દર્શનને બહુમાનથી ધારણ Please inform us of any errors on [email protected]
SR No.008228
Book TitleDhhadhala Pravachana 3
Original Sutra AuthorN/A
AuthorDaulatram Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1972
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy