________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯૯ પ્રશ્નઃ- સમ્યગદર્શન તો તિર્યંચને પણ હોય છે, તો શું દેડકાં વગેરે તિર્યંચને પણ આ બધી ખબર હોય?
ઉત્તર:- હા; શબ્દો ભલે તેને ન આવડે, પણ તેના જ્ઞાનમાં સાતે તત્ત્વોનું ભાવભાસન આવી જાય છે. પદાર્થોનું જ્ઞાન કાંઈ શબ્દની અપેક્ષા રાખતું નથી. સમ્યગ્દષ્ટિ દેડકું કે સિંહ વગેરે પણ આવી જ તત્ત્વશ્રદ્ધા કરે છે, આનાથી વિપરીત માન્યતા તેને હોતી નથી; અંદરના ભાવમાં તેને આત્માનો આનંદ ગોઠે છે ને રાગાદિ આસ્રવો ગમતા નથી. શુભરાગનું વેદના થાય ત્યાં તે એમ નથી માનતા કે આ મને આનંદનું વેદન છે. શુભરાગના વેદનમાં પણ તેને દુઃખ લાગે છે; એટલે આસવો દુઃખદાયક છે-હેય છે એવી શ્રદ્ધા તેના ભાવમાં આવી જ ગઈ; ને આનંદ એટલે કે સંવરનિર્જરાનો ભાવ ઉપાદેય છે એવી શ્રદ્ધા પણ આવી ગઈ. અંતરમાં આત્મા આનંદસ્વરૂપ છે–એવું જે વેદન થાય છે તેને જ તેઓ “આત્મા” સમજે છે; અને તેનાથી વિરુદ્ધભાવો તે આત્મા નથી–એ વાત પણ તેમાં આવી જ જાય છે. શુભ કે અશુભ વૃત્તિ ઊઠે તે તેને દુઃખરૂપ લાગે છે તેથી તેને તે છોડવા માંગે છે, એટલે આસ્રવ તથા બંધને છોડવા માંગે છે; ને આનંદના વેદનરૂપ સંવર-નિર્જરાને વધારવા માંગે છે, એટલે સંવર-નિર્જરા-મોક્ષને ઉપાદેય માને છે. આ રીતે તેના વેદનના ભાવમાં સાતે તત્ત્વોની અવિપરીત શ્રદ્ધા આવી જાય છે. તે સમ્યગ્દષ્ટિ દેડકું કાંઈ એમ નથી માનતું કે શરીર તે હું છું,
Please inform us of any errors on [email protected]