________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯૯ પ્રશ્નઃ- સમ્યગદર્શન તો તિર્યંચને પણ હોય છે, તો શું દેડકાં વગેરે તિર્યંચને પણ આ બધી ખબર હોય?
ઉત્તર:- હા; શબ્દો ભલે તેને ન આવડે, પણ તેના જ્ઞાનમાં સાતે તત્ત્વોનું ભાવભાસન આવી જાય છે. પદાર્થોનું જ્ઞાન કાંઈ શબ્દની અપેક્ષા રાખતું નથી. સમ્યગ્દષ્ટિ દેડકું કે સિંહ વગેરે પણ આવી જ તત્ત્વશ્રદ્ધા કરે છે, આનાથી વિપરીત માન્યતા તેને હોતી નથી; અંદરના ભાવમાં તેને આત્માનો આનંદ ગોઠે છે ને રાગાદિ આસ્રવો ગમતા નથી. શુભરાગનું વેદના થાય ત્યાં તે એમ નથી માનતા કે આ મને આનંદનું વેદન છે. શુભરાગના વેદનમાં પણ તેને દુઃખ લાગે છે; એટલે આસવો દુઃખદાયક છે-હેય છે એવી શ્રદ્ધા તેના ભાવમાં આવી જ ગઈ; ને આનંદ એટલે કે સંવરનિર્જરાનો ભાવ ઉપાદેય છે એવી શ્રદ્ધા પણ આવી ગઈ. અંતરમાં આત્મા આનંદસ્વરૂપ છે–એવું જે વેદન થાય છે તેને જ તેઓ “આત્મા” સમજે છે; અને તેનાથી વિરુદ્ધભાવો તે આત્મા નથી–એ વાત પણ તેમાં આવી જ જાય છે. શુભ કે અશુભ વૃત્તિ ઊઠે તે તેને દુઃખરૂપ લાગે છે તેથી તેને તે છોડવા માંગે છે, એટલે આસ્રવ તથા બંધને છોડવા માંગે છે; ને આનંદના વેદનરૂપ સંવર-નિર્જરાને વધારવા માંગે છે, એટલે સંવર-નિર્જરા-મોક્ષને ઉપાદેય માને છે. આ રીતે તેના વેદનના ભાવમાં સાતે તત્ત્વોની અવિપરીત શ્રદ્ધા આવી જાય છે. તે સમ્યગ્દષ્ટિ દેડકું કાંઈ એમ નથી માનતું કે શરીર તે હું છું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com