________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૪૫ પૂર્વે કદી જાણી નથી. જ્ઞાન આત્મસ્વભાવની સન્મુખ થયું ત્યારે સમ્યજ્ઞાનની કળા ખીલી, આત્મજ્ઞાન થયું ને મોક્ષમાર્ગ ઊઘડયો. આત્મજ્ઞાન પાસે નવતત્ત્વ વગેરેનું વ્યવહારુ જાણપણું ગૌણ થઈ ગયું. “જેણે આત્મા જાણો તેણે સર્વ જાણું, તેને જ્ઞાનની કળા ખીલી, હવે આગળ વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થશે. કેવળજ્ઞાન પ્રગટ કરવા માટેની આ સમ્યજ્ઞાનકળા છે તે કેવળજ્ઞાન સાથે આનંદની કેલી કરે છે, આનંદની ક્રીડા કરતીકરતી તે કેવળજ્ઞાનને સાધે છે. અહીં! ચોથા ગુણસ્થાને ગૃહસ્થનું સમ્યજ્ઞાન તે પણ કેવળજ્ઞાનની જાતનું જ છે. પૂર્ણ ચંદ્રનો અંશ પણ ચંદ્રની જાતનો જ હોય, તે કાંઈ ઠીકરું ન હોય તેમ સમ્યક્રમતિશ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનની જાતના જ છે, તે કાંઈ રાગની જાતના ઠીકરા જેવા નથી. અહા, શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન થતાં કેવળ-જ્ઞાનની એક કળા ખીલી. આવી ભેદજ્ઞાનકળા તે મોક્ષને સાધનારી છે.
परद्रव्यनतें भिन्न आपमें रुचि सम्यक्त्व भला है। आपरूपको जाणपनो सो सम्यग्ज्ञान कला है।
હે જીવ! મોક્ષસુખને માટે તું આવા સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ઉદ્યમી થા. પોતાના આત્માની સન્મુખ થઈને આત્માની રુચિ તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને સમ્મચારિત્ર કેવું છે? કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com