Book Title: Darshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
३८६
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम
છે, વિધિનું બહુમાન કરનારાઓને પણ ધન્ય છે અને વિધિમાર્ગને દૂષિત નહિ કરનારાઓને પણ ધન્ય છે. ૨૮
• इय आगमविहिपुव्वं भत्तिभरुल्लसियबहलरोमंचा।
तं भुवणवंदणिज्जं वंदह परमाए भत्तीए ।।२९।। તેથી કરીને આગમમાં દર્શાવેલી વિધિપૂર્વક ભક્તિભાવથી ઉલ્લસિત રોમાંચયુક્ત બનીને ત્રણે ભુવનમાં વંદનીય એવા શ્રી અરિહંતદેવને પરમ શ્રેષ્ઠ ભક્તિથી વંદન કરો ! ૨૯
पंचविहाभिगमेणं पयाहिणतिगेण पूयपुव्वं च ।
पणिहाणमुद्दसहिया विहिजुत्ता वंदणा होइ ।।३०।। વંદનવિધિ :
પાંચ અભિગમ, પૂજાત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણિધાનત્રિક અને મુદ્રાત્રિક વડે વિધિપૂર્વક ચૈત્યવંદના થાય છે. ૩૦
दव्वाण सचित्ताणं विउसरणमचित्तदव्वमणुसग्गो । मणएगत्तीकरणं अंजलिबंधो य दिट्ठिपहे ।।३१।। तह एगसाडएणं उत्तरसंगेण जिणहरपवेसो ।
पंचविहोऽभिगमो इय अहवा वि य अनहा एस ।।३२।। પાંચ અભિગમ :
૧-જિનમંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજાનાં ઉપકરણ સિવાય સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો, ૨-દેહ ઉપર પહેરેલા દાગીના વગેરે અચિત્ત દ્રવ્યોને ધારણ કરવા, ૩-મનની એકાગ્રતા રાખવી, ૪-શ્રી જિનેશ્વરદેવનું દર્શન થતાં જ તેમને હાથ જોડવા, પ-સાંધ્યા વગરનો ખેસ ધારણ કરી જિનમંદિરમાં પ્રવેશ કરવો આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા માણસો માટે છે અને વિશેષ ઋદ્ધિ સમ્પન્ન પુરુષોને માટે પાંચ અભિગમ આ મુજબ છે. ૩૧-૩૨
अवहट्ट रायककुहाइं पंच वररायककुहरूवाइं ।
खग्गं छत्तोवाणह मउडं तह चामराओ य ।।३३।। પ્રબળ રાગાદિને સૂચવનારા રાજચિહ્નોનો ત્યાગ કરીને શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. તે રાજચિહ્નો આ પ્રમાણે છે ૧-તલવાર, ૨-છત્ર, ૩-મોજડી, ૪-મુકુટ અને પ-ચામર. ૩૩
तिनि निसीहि य तित्रि य पयाहिणा तिनि चेव य पणामा । तिविहा पूया य तहा अवत्थतियभावणं चेव ।।३४।।

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512