Book Title: Bandhswamitva Tritiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
સંપાદકીય
પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા વિરચિત બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રંથની વિવેચના (દ્વિતીય આવૃત્તિ) પરમાત્મકૃપા તથા પૂજ્યશ્રી ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહી છે. આ ગ્રંથની વિવેચનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ?
ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરુ ચરણે નમન હજાર ! * દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજીમહારાજા. * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનાર પૂ. ગુરુદેવશ્રી કારસૂરિમહારાજા. * અપ્રમત્તયોગી પરમ નિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિમહારાજા. * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિમહારાજા...
* સ્વરચિત ઉદય-ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વની મૂળગાથાઓનું વિવેચન સૂક્ષ્મદૃષ્ટિએ અવલોકન કરીને, ક્ષતિરહિત કરનારા કર્મસિદ્ધાંત સંજ્ઞાતા અતીવાનુગ્રહિ પૂ. વીરશેખરસૂરિમહારાજા...
* શાસ્રસંશોધન પ્રેમી-સાહિત્યરસિક પૂજ્ય મુનિચંદ્રસૂરિમહારાજા...
* આ ગ્રંથમાં પ્રશ્નોત્તરી વિભાગની સંપૂર્ણ શુદ્ધિ કરી આપનારા કર્મસાહિત્યજ્ઞ પરમોપકાર પૂ. શ્રી કુલચંદ્રસૂરિમહારાજા...
* સંશોધન કાર્યની વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને બંધસ્વામિત્વનું સંપૂર્ણ મેટર તપાસી આપનારા સ્વાધ્યાયૈકલક્ષી પૂ. શ્રી અભયશેખરસૂરિમહારાજા....
* સંસ્કારસુધાનું સિંચન કરવા દ્વારા અમજીવનોદ્યાનને સ્વ-સાધનાની સૌરભથી સુવાસિત કરનારા પરમોપકારી પૂ. પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજ... * લેખનકાર્યમાં આર્થિક સહયોગાદિની તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધુમુનિરાજ શ્રી પંન્યાસ ભાગ્યેશ વિજયજી મહારાજ સાહેબ તથા મહાયશ વિજયજી મહારાજ સાહેબ
* અહર્નિશ શુભાશિષદાતા દાદી ગુરુણીજી પૂ. મનકશ્રીજી મ. તથા સંયમ શિક્ષાદાત્રી પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ.
* વિરતિવાટિકામાં સદાય આત્મારાધનના ઝુલે ઝુલાવીને આત્માનંદની આંશિક અનુભૂતિ કરાવનારા પૂ. ગુરુમાતાશ્રી રમ્યગુણાશ્રીજી મ.
સર્વે પૂજ્યશ્રીના પાવનપાદપદ્મમાં ભાવભીની વંદનવીથી...
પંડિતવર્યશ્રી ચંદ્રકાન્તભાઈ તથા આ પુસ્તકને પોતાનું માનીને સુંદર પ્રિન્ટીંગ કરી આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભુલાય ?
પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્... અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યશ્રીએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સહ વિરમુ છું.
- કૃપાકાંક્ષી રમ્યરેણુ...
૪

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 322