Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 314
________________ વમાન-પસિંહ શાહ બાદ જામનગરમાં નિવાસ કરીને વ્યાપાર કર. રાજાએ ખાત્રી આપી કે કચ્છના મહારાવ લે છે તેથી અડધી જકાત જ તેમની પાસેથી લેવામાં આવશે, તેમજ રાજ્ય તરફથી તેમને સવલત પણ આપવામાં આવશે. સંઘપતિઓએ રાજાની માગણી સ્વીકારી લીધી. આથી હર્ષિત થઈને રાજાએ એમને શોભતો પિશાક આપે. જામનગરથી સંઘે વાજતે-ગાજતે પ્રયાણ કર્યું ત્યારે તેમાં ૫૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘોડા, પ૦૦ ઊંટ, ૧૦૦૦ ખશ્ચર, ૯ હાથી, ૨૦૦ રઈઆ, ૧૦૦ કંદોઈ, ૧૦૦ વાણંદ, ૧૫૦ તંબુ ખેડવાવાળા, ૧૦૦ નતકો, ગવૈયા, અને વાજાવાળા, ૧૦૦ ચારણ, ૨૦૦ સાધુઓ અને ૩૦૦ સાધ્વીએ મળીને પંદર હજાર માણસો હતાં. સંઘને મેખરે ચાલતા રૂપાના રથમાં શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાને બિરાજિત કરવામાં આવી હતી. સંઘપતિઓના હાથી ઉપર સુવર્ણમય ઝરૂખ હતો. એકાદ માસ બાદ સંઘ શ્રી શત્રુતીર્થની તળેટીમાં આવી પહોંચે. શત્રુજીનદીને કિનારે તંબુએ ઊભા કરીને ત્યાં સંઘે પડાવ નાખે. ગિરિપૂજન કરીને સકળ સંઘ ગિરિરાજ ઉપર ચડ્યો. ત્યાં ભવ્ય જિનમંદિરની શ્રેણી જોઈને સૌ આનંદ પામ્યાં. તીર્થનાયકના દર્શનથી પાવન થઈને સંઘપતિઓ કૃતકૃત્ય થયા. તેમણે શ્રી ઋષભદેવ પ્રભુને સોના રૂપાનાં ફૂલેથી વધાવ્યા, સેવાપૂજા કરી, યાચકોને ઘણું દાન આપ્યું તથા સાતે ક્ષેત્રે ઘણું ધન ખરચ્યું. કલ્યાણસાગરસૂરિએ સંઘપતિઓને ગિરિરાજ ઉપર મહારાજા સંપ્રતિ, રાજર્ષિ કુમારપાલ, મંત્રીવ વસ્તુપાલ-તેજ પાલ, વિમલમંત્રીશ્વર વગેરે મહાનુભાવોએ બંધાવેલા જિનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406