Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 369
________________ ૧૨ ] જ્ઞાતિ-મુકુટમણિ પની સેનેટરીની જમીન શ્રી કરછી દશા ઓશવાળ જૈન જ્ઞાતિને અર્પણ થયેલ. નરશી શેઠની સામાજિક કારકિદી અજોડ હતી. તેમને જમાના અનુસાર સારી કેળવણી પ્રાપ્ત થયેલી, તેમ જ તેઓ મુંબઈના ઉચ ઘરાનાઓના સંપર્કમાં હેઈને પિતાની જ્ઞાતિ ગતિશીલ પરંપરા અપનાવે એ જેવા તેઓ ઘણું મથ્યા અને પ્રતિકિયાવાદી બળે સામે જીવનભર ઝઝૂમ્યા. બાળલગ્ન અને કન્યાવિકય સામે તેમણે પ્રચંડ ઝૂંબેશ ઉપાડેલી, જેમાં તેઓ સફળ થયા. જ્ઞાતિમાં કેળવણી અને સુધારાની હવા ફેલાવવા માટે તેમણે આદરેલે પુરુષાર્થ જ્ઞાતિની તવારીખમાં સુવર્ણ ફરે નેંધાશે. એમના સમયમાં રાજગોર બ્રાહ્મણને વિખ્યાત કેસ ચાલતે હતે જ્ઞાતિબંધુઓની લાગણી એવી હતી કે રાજગેર બ્રાહ્મણ મહાજનવાડીમાં ન જમે. પરંતુ કેટલાક શેઠિયાઓ રાજગોર બ્રાહ્મણના પક્ષકારે હતા, એટલે કેાઈનું કાંઈ ચાલે એવું ન હતું. નરશી શેઠે શેઠિયાઓને પડકાર ફેંક્યો. અને રાજગોર બ્રાહ્મણોને અઘટિત ભાર તેમણે જ્ઞાતિ ઉપરથી કઢાવી નાખે. આ કેસમાં કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક શેઠપક્ષ, બીજે મહાજનપક્ષ. શેઠપક્ષના અગ્રેસર હતા શેઠ હરભમ નરશી નાથા. મહાજન-પક્ષના કર્ણધાર બન્યા શેઠ નરશી કેશવજી નાયક. મહાજનપક્ષે ફેકેલા બધા પડકારોમાં શેઠપક્ષ આરોપીના પાંજરામાં મૂકાઈ ગયો! એનું મુખ્ય કારણ હતું નરશી શેઠને અદમ્ય જુસ્સ તદુપરાંત તેઓ અસરકારક વક્તા પણ હતા. જ્ઞાતિને ગ્ય સમજણ આપવાની તથા તેને અમુક વિચાર પર લાવવાની તેમનામાં અદ્દભૂત શક્તિ હતી. બે–ચાર શેઠિયાઓને નિર્ણય એટલે સમગ્ર જ્ઞાતિનો નિર્ણય નહીં એ બુલંદ નારે તેમણે ઉઠાવેલ. જ્ઞાતિ-મહાજનની કાર્યવાહીમાં લોકશાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406