Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 354
________________ શેઠ નરસી નાથા [ ૧૩ પણ પહોંચાડતા. સહાય લેવામાં શરમ કે સંકોચ અનુભવતા લોકોને ઘેર તેઓ અનાજના બાચકાઓ મોકલાવી દેતા, અને તેમાં ઘરવખરી વસાવવા માટે થોડી રકમ પણ મૂકતા. એમના આવા ઉત્કટ જ્ઞાતિ-પ્રેમને લીધે તેઓ “જ્ઞાતિ–શિરેમણિ” કહેવાયા. જ્ઞાતિએ તેમને સર્વોચ્ચ બિરુદ આપ્યું. મુંબઈમાં જ્ઞાતિની સ્વતંત્ર મહાજનવાડી ન હૈ વાથી સામાજિક તેમ જ ધાર્મિક પ્રસંગોમાં સૌને ઘણી અગવડતા પડતી. શેઠના ભાયખળામાં આવેલા એક મકાનને મહાજન વાડી તરીકે ઉપગ કરવામાં આવતું. પરંતુ આ મકાન ઘણું દૂર લાગતું. આથી શેઠે ખડક વિસ્તારમાં મહાજનવાડી માટે મકાન ખરીશું અને જ્ઞાતિબંધુઓની મુશ્કેલી દૂર કરી. જ્ઞાતિબંધુઓના પ્રશ્નોની પતાવટ પણ શેઠ જાતે જ કરતા. એ વખતે જ્ઞાતિના ઝગડાઓ કેટ-કચેરીઓમાં જતા નહિ. શેઠને ચુકાદો આખરી ગણાતો અને ઉભય પક્ષેને સ્વીકાર્ય ગણાતો. શેઠની “ગાદી”ને પવિત્ર ખ્યાલ આ સંદર્ભમાં રૂઢ થયે. આજે પણ જ્ઞાતિબંધુએ શેઠની ગાદીને અપૂર્વ માન આપે છે. આ પ્રથા એમના મૃત્યુ બાદ પણ ચાલુ રહી. જ્ઞાતિ–શિરોમણિના ઉત્કટ જ્ઞાતિ–પ્રેમની સર્વોચ્ચ અભિવ્યકિત તેમણે જેલા જ્ઞાતિમેળાઓમાં જોવા મળે છે. આ પહેલવહેલે મેળો વિ. સં. ૧૮૯૭ માં નલિયાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે એકત્રિત થયે. બાવન ગામમાં વસતા જ્ઞાતિબંધુઓ એ પ્રસંગે એકત્રિત થયા. વિ. સં. ૧૮૯૭માં તેમણે શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢેલો. ત્યાંથી પાછા નલિયા આવીને એ બીજે જ્ઞાતિમેળે પણ તેમણે ચે. જ્ઞાતિમેળાના માધ્યમ દ્વારા શેઠે જ્ઞાતિની અસ્મિતા જગાડી. જ્ઞાતિના ઈતિહાસ માટે તે સુવર્ણ–યુગ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406