Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 366
________________ શેઠ કેશવજી નાયક શિલ્પકળાથી સમૃદ્ધ મેરુપ્રભ જિનાલયનું સર્જન કર્યું. કચ્છી સ્થાપત્યવિદોનું એ મહત્ત્વાકાંક્ષી સર્જન ગણાયું. કલાવિ શારદાએ તેને અમદાવાદના સુપ્રસિદ્ધ જિનાલયની હરોળનું ગયું. કઠારાની મૂર્તિમંત કીર્તિકથા સમું આ જિનાલય યાત્રિકે માટે અબડાસાની પંચતીર્થીનું અગત્યનું સ્થાન બન્યું. વિ. સં. ૧૯૧૮માં તેની પ્રતિષ્ઠા પ્રસંગે ત્રણે શ્રેષ્ઠીવર્યો મુંબઈથી શ્રી શત્રુંજયને વિશાળ તીર્થ–સંઘ કાઢીને કેડારા પધારેલા. માઘ શુદિ ૧૩ ને બુધવારે અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિના ઉપદેશથી યાદગાર પ્રતિષ્ઠા સંપન્ન થઈ. કેશવજી શેઠે મૂલનાયક શ્રી શાંતિનાથપ્રભુના બિંબને બિરાજિત કરાવ્યું. આ પ્રસંગે આઠ દિવસને મહત્સવ થયે, તથા પ્રસંગચિત જ્ઞાતિમેળે પણ જાયે. ઉપર્યુક્ત સંઘ વખતે કેશવજી શેઠ પાલિતાણામાં પધારેલા ત્યારે જ તેમણે નિર્ધારેલાં જિનાલયે, ધર્મશાળા આદિનું ખાતમુહૂર્ત સ્વહસ્તે કરીને તેનું કામ પણ ત્વરાએ શરૂ કરાવી દીધેલું. ચારેક વર્ષોમાં તે મોટા ભાગનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું. એટલે તેની પ્રતિષ્ઠા-પ્રસંગે કેશવજી શેઠે વિશાળ સંઘ સહિત મુંબઈથી પ્રયાણ કર્યું. સંઘપતિ શેઠ ખીમચંદ મેતીચંદ કેશવજી શેઠને તિલક કરીને એમનું બહુમાન કર્યું. ભાવનગરમાં સંઘ દરિયા-માગે પધાર્યા ત્યારે મહારાજા જશવંતસિંહે તેનું સામૈયું કર્યું. પાલિતાણામાં મહારાજા સૂરસિહે સંઘને દબદબાપૂર્વક સત્કાર કર્યો. સૂરસિંહ જેનસંઘ સાથે ઉગ્ર ઘર્ષણમાં ઉતરેલે, છતાં કેશવજી શેઠ સાથેની અંગત મિત્રીને લીધે આ પ્રસંગે તેણે રાજ્ય તરફથી બનીને બધે સહકાર આપેલ. કવિ રત્નપરીક્ષકે આ ઐતિહાસિક પ્રસંગને અંજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406